2016 સુધી ચીનથી આગળ નીકળી જશે ભારત: આઇએમએફ
વોશિંગ્ટન, 21 જાન્યુઆરી: ભારત માટે એક ખુશીના સમાચાર છે કે 2016માં ભારત ગ્રોથ રેટના મામલામાં ચીનને પછાડી દેશે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF)એ જણાવ્યું છે કે આ વર્ષે ભારતનો ગ્રોથ રેટ 6.3 ટકા રહેશે અને 2016માં 6.5 ટકા થઇ જશે. આઇએમએફ એ નવી સરકારના રિફોર્મ્સને આશાજનક ગણાવ્યું, પરંતુ તેનું ક્રિયાન્વયન મહત્વનું છે.
આઇએમએફ દ્વારા જારી કરવામાં આવેલી વર્લ્ડ ઇકોનોમિક રિપોર્ટ અપડેટમાં કહેવામાં આવ્યું છે કે 2014માં ભારતનો ગ્રોથ રેટ 5.8 ટકા રહ્યો છે જ્યારે ચીનનો 7.4 ટકા રહ્યો છે. 2013માં ભારતનો ગ્રોથ રેટ 5 ટકા હતો જ્યારે ચીનનો 7.8 ટકા હતો. આઇએમએફે જણાવ્યું કે 2015માં ભારતનો ગ્રોથ રેટ 6.3 રહેવા અને 2016માં 6.5 ટકા રહેવાનું અનુમાન છે. એનો અર્થ એ થયો કે ગ્રોથ રેટના મામલામાં ભારત 2016માં ચીનને પછાડી દેશે. ચીનમાં 2014ના ત્રીજા ક્વાર્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથમાં ઘટાડો નોંધાયો છે, અને તેના મોટા ઇન્ડિકેટર્સ સ્લોડાઉન તરફ સંકેત કરી રહ્યા છે. આઇએમએફનું કહેવું છે કે ચીનમાં ઓછામાં ઓછો ગ્રોથ રેટ હોવાથી મહત્વના ક્ષેત્રીય પ્રભાવ થશે.

એક સવાલના જવાબમાં આઇએમએફના અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના આર્થિક સુધાર અંગે કોઇ પણ ભવિષ્યવાળી કરવી મુશ્કેલ છે કારણ કે સંરચનાત્મક સુધાર છે અને ધીરે-ધીરે વધી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓઇલની કિંમતોમાં ઘટાડાથી ગ્લોબલ ગ્રોથને પ્રોત્સાહન મળશે. ગ્લોબલ ગ્રોથને 2015-16માં 3.5 અને 3.7 ટકા રહેવાનું અનુમાન છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ








Click it and Unblock the Notifications
