હોમ લોન પર વ્યાજ દરો ઘટશે : વેંકૈયા નાયડુ
નવી દિલ્હી, 29 મે : કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે તમામ વર્ગના લોકો માટે ઘર અને ગૃહ ધિરાણ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવો અમારા મંત્રાલયની પ્રાથમિકતા રહેશે. બુધવારે શહેરી વિકાસ મંત્રાલયનો હવાલો સંભાળ્યા બાદ પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું કે જો તમામ લોકો માટે આવાસનું લ્ક્ષ્ય પ્રાપ્ત કરવું હશે તો હોમ લોન ઘટાડવી જરૂરી છે.
તેમણે જણાવ્યું કે વર્ષ 2020 સુધીમાં તમામ લોકોને ઘર પૂરા પાડવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હું આ બાબત મારા સહયોગી અરૂણ જેટલી (નાણા મંત્રી) પાસે ઉઠાવીશ. અમે દરમિયાનગીરી કરીને હોમ લોનના વ્યાજ દરોમાં થોડો ઘટાડો ચોક્કસ કરીશું. તે મારી પ્રાથમિકતા હશે. નાયડુ ભાજપના રાજ્યસભા સભ્ય છે.

તેમણે એમ પણ જણાવ્યું કે તેમનું મંત્રાલય 100 સ્માર્ટ શહેરો અને યુગલ શહેરો બનાવશે. આ ઉપરાંત નાના શહેરોમાં અધોસંરચનાનો વિકાસ કરશે. નાયડુએ જણાવ્યું કે અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકાર દરમિયાન પણ સૌના માટે આવાસ એ પ્રાથમિકતા હતી. તેમણે જણાવ્યું કે તે સમયે હોમ લોન પર વ્યાજ દર 11 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ હોમ લોન દર 10થી 11 ટકા થઇ ગઇ છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
