ઇક્વિટી કે બોન્ડમાં રોકાણ? ક્યારે કયું રોકાણ છે શ્રેષ્ઠ?
ઘણીવાર ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ મૂંઝવણભર્યું બની જાય છે કારણ કે એકથી વધારે વિકલ્પો હોવાને કારણે આપણે ક્યારે અને શેમાં રોકાણ કરવાથી વધારે ફાયદો મળશે તે નક્કી કરી શકતા નથી.
રોકાણ વિશે એક વાત હંમેશા કહેવામાં આવે છે કે આપ એક જ જગ્યાએ રોકાણ કરવાને બદલે રોકાણમાં વિવિધતા રાખો. જો કે આ માટે વ્યક્તિને એ બાબતની જાણ હોવી જરૂરી છે કે માર્કેટની ચાલને આધારે ક્યારે સ્ટોકમાં રોકાણ કરવું જોઇએ અને ક્યારે બોન્ડમાં રોકાણ કરી શકાય.
ઇક્વિટીમાં રોકાણ કરવું કે ડેબ્ટમાં રોકાણ કરવું એ આપની ઉંમર ઉપર પણ આધાર રાખે છે. કારણ કે જેમ ઉંમર વધે છે તેમ જોખમ લેવાની ક્ષમતા ઘટે છે. મોટી ઉંમરે મોટા ભાગની વ્યક્તિઓ ડેબ્ટમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.જ્યારે નાની વયે જોખમી રોકાણ એટલે કે ઇક્વિટીમાં બાજી લગાવી શકાય છે.

આ માટે ઇક્વિટી અને બોન્ડમાં રોકાણ વચ્ચેનો મૂળભૂત તફાવત આપણે સમજી લઇએ...
ઇક્વિટીની ખાસિયતો
1. ઇક્વિટી શેરહોલ્ડર્સ તેમના શેર્સની સંખ્યાના પ્રમાણે કંપનીમાં આંશિક ભાગીદાર હોય છે. શેરહોલ્ડર્સને તેમના રોકાણના બદલામાં ડિવિડન્ડ અને કેપિટલ એપ્રિસિએશન મળે છે.
2. જો કે ડિવિડન્ડ મળવું નિશ્ચિત હોતું નથી. કંપની નફો કરે ત્યારે જ ડિવિડન્ડ ચૂકવાય છે.
3. ઇક્વિટીને મેચ્યોરિટી ડેટ હોતી નથી.
4. ઇક્વિટી શેરહોલ્ડર્સને વોટિંગ રાઇટ્સ હોય છે.
5. ઇક્વિટીને લિક્વિડ એટલે કે નાણાકીય પ્રવાહિતાવાળું રોકાણ માનવામાં આવે છે. કારણ કે તે સ્ટોક એક્સચેન્જમાં શેરહોલ્ડરની મરજી મુજબ ખરીદી અને વેચી શકાય છે.
6. ઇક્વિટીમાં ઊંચા વળતરની સામે ઊંચું જોખમ પણ હોય છે.
7. કંપની બંધ થવાની હોય ત્યારે બોન્ડ હોલ્ડરને ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી હોલ્ડરને નાણા ચૂકવાય છે.
બોન્ડની ખાસિયતો
1. બોન્ડ હોલ્ડર્સ કંપનીના લેણદાર છે.
2. બોન્ડ હોલ્ડર્સને તેમના રોકાણના બદલામાં ઇન્ટરેસ્ટ એટલે કે સમયાંતરે કૂપન પેમેન્ટ મળે છે.
3. મોટા ભાગના બોન્ડમાં મેચ્યોરિટી ડેટ નક્કી હોય છે.
4. બોન્ડ હોલ્ડર્સને વોટિંગ રાઇટ્સ હોતા નથી.
5. કંપની બંધ થવાની હોય ત્યારે બેન્ડ હોલ્ડર્સને ઇક્વિટી હોલ્ડર્સ કરતા પહેલા ચૂકવણી કરી દેવામાં આવે છે.
6. ઇક્વિટીની સરખામણીમાં બોન્ડની પ્રવાહિતા ઓછી છે.
7. બેન્ડમાં ઓછું જોખમ છે અને તે મધ્યમ વળતર આપે છે.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
