IOC ગુજરાતમાં નવી રિફાઇનરી શરૂ કરશે

આ અંગે વધારે વિગતો આપતા 27 નવેમ્બર, 2012, મંગળવારના રોજ કંપનીએ જણાવ્યું કે "આઇઓસી તેની રિફાઇનિંગ ક્ષમતા બમણી કરવા માંગે છે. આયોજના અંતર્ગત તે ગુજરાતમાં નવી 15 મિલિયન ટનની ક્ષમતા ધરાવતી રિફાઇનરી શરૂ કરવાનું આયોજન કરી રહી છે. ગુજરાતમાં નવી રિફાઇનરી શરૂ કરવાનું એક મુખ્ય કારણ ગુજરાતમાં સરળતાથી જમીનની ઉપલબ્ધતા છે."
ગુજરાતના દરિયાકાંઠે સ્થપાનારી રિફાઇનરી 13મી પંચવર્ષીય યોજના અંતર્ગત સ્થપાશે. આઇઓસી તેની કોયલી રિફાઇનરીની ક્ષમતા વધારીને 18 મિલિયન ટન કરવા માંગે છે. જ્યારે મથુરામાં આવેલી રિફાઇનરીની ક્ષમતા 8 મિલિયન ટનથી વધારીને 11 મિલિયન ટન કરવાનું આયોજન ધરાવે છે.
આઇઓસીના ડાયરેક્ટર (રિફાઇનરી) આર કે ઘોષે જણાવ્યું કે કંપનીએ એન્જિનીયર્સ ઓફ ઇન્ડિયા લિમિટેડને કનફિગરેશન અને લોકેશન સ્ટડી માટે કામ સોંપ્યું છે. આ તપાસ ચાલુ વર્ષે પૂરી થશે. ત્યાર બાદ કંપની વિસ્તૃત શક્યતાદર્શી અભ્યાસ કરાવીને રિપોર્ટ તૈયાર કરાવશે.
વર્તમાન સમયમાં આઇઓસી કુલ સાત રિફાનરીઓ ધરાવે છે. આ રિફાઇનરીઓની કુલ ક્ષમતા વાર્ષિક 54.2 મિલિયન ટનની છે. કંપની વર્ષ 2012-22 સુઘીમાં પોતાની ક્ષમતા વધારીને 100 મિલિયન ટન સુધી કરવા માંગે છે.












Click it and Unblock the Notifications
