આઈઆરસીટીસી ગુજરાત ફરાવવા માટે લાવ્યું પેકેજ, જાણો રેટ અને ડેટ
ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) એ ગુજરાતના સારા સ્થળોની મુલાકાત લેવા માટે 6 રાત અને 7 દિવસનું વિશેષ ટૂર પેકેજ જારી કર્યું છે.
ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) એ ગુજરાતના સારા સ્થળોની મુલાકાત લેવા માટે 6 રાત અને 7 દિવસનું વિશેષ ટૂર પેકેજ જારી કર્યું છે. ગુજરાતની સંસ્કૃતિ અને ઐતિહાસિક સમૃદ્ધિ પ્રવાસીઓને ખૂબ આકર્ષિત કરી રહી છે. અહીં જોવા માટે ઘણાં સ્થળો છે, જેમાં ગીરના સિંહ, થારનું રણ, કચ્છનું રણ, કાન્હાનું દ્વારકા અને સોમનાથનું મંદિર શામેલ છે. આ પેકેજ અંતર્ગત, દિલ્હીથી આ યાત્રા 10 નવેમ્બર 2019 થી શરૂ થશે. જો તમે આ પ્રવાસ વિશે વધુ જાણવા માંગતા હો, તો આઈઆરસીટીસીની વેબસાઇટ www.irctctourism.com ની મુલાકાત લઈને જાણી શકાય છે.

મુસાફરી થર્ડ એસીમાં કરવામાં આવશે
આ પેકેજ અંતર્ગત રેલવેમાં પ્રવાસીઓને થર્ડ એસી દ્વારા મુસાફરી કરવામાં આવશે. આ સિવાય સારી હોટલોમાં રોકાવું અને સવારના નાસ્તા સાથે રાત્રિભોજન પણ પેકેજમાં શામેલ છે. આ પેકેજ લેવા લોકોને 25,820 રૂપિયા ચુકવવા પડશે. જો 2 લોકો મુસાફરી પર જવા માંગતા હોય, તો વ્યક્તિ દીઠ 20,260 રૂપિયા ભાડુ ચૂકવવું પડશે. જો 3 લોકો સાથે ફરવા માંગે છે, તો ભાડુ વધુ ઘટશે.

આ યાત્રા દિલ્હીથી શરૂ થશે
આઈઆરસીટીસીની આ પર્યટક યાત્રા નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી શરૂ થશે. પ્રવાસીઓને ઉત્તરાંચલ એક્સપ્રેસ (19566) દ્વારા લઇ જવામાં આવશે. રાત્રે મુસાફરી બાદ મુસાફરો રાજકોટ પહોંચશે. અહીંથી એક બસ દ્વારા સોમનાથ જશે. આ પ્રવાસ દરમિયાન, પ્રવાસીઓને રાત્રિભોજન અને બ્રેકફાસ્ટ આપવામાં આવશે. સોમનાથ યાત્રા દરમિયાન બપોરના ભોજન માટે સમય આપવામાં આવશે. યાત્રાના ત્રીજા દિવસથી સોમનાથ, દીવ, પોરબંદર અને દ્વારકાની યાત્રા કરાવવામાં આવશે.

ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકાશે
જો તમે આઈઆરસીટીસીના ગુજરાત પેકેજનો ભાગ બનવા માંગતા હો તો આ માટે ઓનલાઇન બુકિંગ કરી શકાશે. આ માટે આઈઆરસીટીસીની વેબસાઇટ પર જવું પડશે. આ ટૂર પેકેજની સંપૂર્ણ વિગતો પણ અહીં આપવામાં આવી છે.
આ પણ વાંચો: વિલીનિકરણના વિરોધમાં ચાર દિવસ સતત બેંકો રહેશે બંધ, કરી લો જરૂરી કામ
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
