કિંગફિશરને પડતામાં પાટું, 754 કરોડનું નુકશાન

ત્રિમાસિક સમીક્ષામાં કંપનીની આવક પણ ઘટીને 200 કરોડ પર આવી ગઇ છે, જે આ પહેલાં ગત વર્ષે 1,553 કરોડ રૂપિયા હતી. કંપનીની કામગીરીમાં મુશ્કેલી તથા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) દ્રારા તેમના લાયસન્સને સસ્પેન્ડેડ કરવામાં આવતાં કંપનીની આવક પર અસર વર્તાઇ હતી.
કંપનીના ખર્ચમાં ઘટાડો થયો છે તો બીજી તરફ તેને પુનર્રચના પર ભારે ખર્ચ પડ્યો છે. આ સિવાય કંપનીના ટેક્ષમાં વધારો થયો છે. પરિણામોની જાહેરાત કરતાં એરલાઇન્સે કહ્યું હતું કે તે વિભિન્ન સહભાગીઓ સાથે વાતચીત કરી રહી છે, જેથી તે નક્કી થઇ જશે કે ભવિષ્યમાં તેમની કામગીરીમાં કોઇ વિધ્ન આવશે નહી. મુંબઇ શેર બજારને મોકલવામાં આવેલી સૂચનામાં કંપનીએ કહ્યું હતું કે એરલાઇન્સ પોતાની કામગીરી ફરીથી શરૂ કરવા માટે વ્યાપક બનાવી રહી છે. તેની જાણકારી બેંકો અને ડીજીસીએને આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
