18 નવેમ્બરથી કિસાન વિકાસ પત્ર રિલોન્ચ થશે
ભારત સરકાર મંગળવારથી કિસાન વિકાસ પત્ર (કેવીપી - KVP) ફરીથી રજૂ કરવા જઇ રહી છે. આ બચત યોજનામાં રોકવામાં આવેલું ધન આઠ વર્ષ અને ચાર મહિનામાં બમણું થઇ જશે. તેને ફરીથી શરૂ કરવાની માંગ ધણા સમયથી કરવામા્ં આવી રહી હતી.
આ અંગે નાણા પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું કે તેઓ નવેસરથી કેવીપી શરૂ કરશે. આ પત્રો રૂપિયા 1000, રૂપિયા 5000, રૂપિયા 10,000 અને રૂપિયા 50,000માં ઉપલબ્ધ હશે. તેમાં રોકાણની કોઇ ટોચની મર્યાદા નથી.

નાણા મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે શરૂઆતમાં કેવીપી સર્ટિફિકેટ ટપાલઘર મારફતે વેચવામાં આવશે. ત્યાર બાદ કેવીપીને રાષ્ટ્રીયકૃત બેંકોની વિવિધ શાખાઓ મારફતે પણ ઉપલબ્ધ કરાવાશે. કેવીપીમાં કરવામાં આવેલા રોકાણનો લોક ઇન પિરિયડ અઢી વર્ષનો હશે. ત્યાર બાદ આ પહેલા નક્કી કરવામાં આવેલા પરિપક્વતા મૂલ્યના હિસાબથી છ મહિનાના બ્લોકમાં હશે.
નાણા મંત્રાલયે જણાવ્યું કે કેવીપી માત્ર નાના રોકાણકારો માટે જ રોકાણનો સુરક્ષિત વિકલ્પ હશે, તેના મારફતે દેશમાં બચત દર વધારવામાં પણ મદદ મળશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
