નેશનલ સ્ટૉક એક્સચેન્જના ચેરમેન પદ પરથી અશોક ચાવલાનું રાજીનામું
નેશનલ સ્ટૉક એક્સચેન્જના ચેરમેન પદેથી અશોક ચાવલાનું રાજીનામું
નવી દિલ્હીઃ એરસેલ-મેક્સિસ લાંચ મામલામાં નામ આવ્યા બાદ નેશનલ સ્ટૉક એખ્સચેન્જના ચેરમેન અશોક ચાવલાએ શુક્રવારે તત્કાળ પ્રભાવથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. જણાવી દઈએ કે એરસેલ-મેક્સિસ લાંચ મામલામાં સીબીઆઈએ ચાવલા, પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની સાથે કેટલાય અન્ય અધિકારીઓનાં નામ લીધાં છે. જે બાદ ચાવલાએ કાયદાકીય ઘટનાક્રમનો હવાલો આપતાં એનએસઈના ચેરમેનના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

જણાવી દઈએ કે સીબીઆઈએ પાછલા વર્ષે જુલાઈમાં પોતાની ચાર્જશીટ દાખલ કરી હતી પરંતુ અધિકારીઓ સામે સુનાવણી શરૂ કરાવવા માટે સરકારની મંજૂરીની ઈંતજાર કરી રહી હતી. નાણા મંત્રાલયે પી. ચિદમ્બરમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી હતી, પરંતુ અધિકારીઓ માટે પણ આવા પ્રકારની જ અનુમતિની આવશ્યકતા હતા.
સીબીઆઈ કોર્ટે એજન્સીને શુક્રવાર સુધી નાણા મંત્રાલયની અનુમતિ લેવા માટે કહ્યું હતું. જુલાઈ 2018માં સીબીઆઈએ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને એરસેલ-મેક્સિસ મામલામાં એક અભિયુક્ત બનાવ્યા. પી. ચિદમ્બરમ પર આરોપ છે કે તેમની પાસે માત્ર 600 કરોડ સુધીના જ વિદેશી રોકાણને મંજૂરી આપવાની શક્તિ હતી પરંતુ તેમણે આર્થિક મામલાની મંત્રિમંડળીય સમિતિને જણાવ્યા વિના જ 3200 કરોડ સુધીના વિદેશી રોકાણને મંજૂરી આપી દીધી હતી.
આ પણ વાંચો- Amazonના માલિકથી છૂટાછેડા લઈને મેકેંજી બની વિશ્વની સૌથી અમીર મહિલા
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
