ભારતમાં દર 10માંથી 3 વ્યક્તિ ગરીબ: રંગરાજન સમિતિ
નવી દિલ્હી, 7 જુલાઇ: જો આપ ગામડામાં રહેતા હોવ અને રોજના તમે રૂપિયા 32 કમાતા હોવ અને જો શહેરમાં રહેતા હોવ અને રોજના 47 રૂપિયા કમાતા હોવ તો આપ ગરીબ નથી. આવું દેશમાં ગરીબીના અંદાજા માટે બનેલી સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે. નવી ગરીબી રેખા નક્કી કરવા માટે પૂર્વ આરબીઆઇ ગવર્નર સી રંગરાજને મોદી સરકારને સોંપેલા અહેવાલમાં આ વાત બતાવી છે.
ગરીબીના અંદાજ માટે બનેલી રંગરાજન સમિતિના પૂર્વવર્તી તેંડુલકર સમિતિના અંદાજીતને રદ કરતા જણાવ્યું કે દેશમાં દર દસમાંથી ત્રણ વ્યક્તિ ગરીબ છે. સમિતિએ પોતાનો રિપોર્ટ હાલમાં જ યોજના મંત્રી રાવ ઇંદ્રજીત સિંહને સોંપ્યો છે. તેમાં સમિતિએ સરકારને શહેરોમાં રોજ 47 રૂપિયા અને ગામડામાં 32 રૂપિયાથી ઓછો ખર્ચ કરનારા વ્યક્તિને ગરીબની શ્રેણીમાં રાખવાનો સૂજાવ આપ્યો છે.
શું છે રંગરાજન સમિતિના રિપોર્ટમાં
રિપોર્ટ અનુસાર, દેશમાં નાણા વર્ષ 2011-12 દરમિયાન દર ત્રીજો વ્યક્તી ગરીબ હતો, જ્યારે એક વર્ષ પહેલા (2009-10)માં દર ચોથો વ્યક્તિ ગરીબીની શ્રેણીમાં આવતો હતો. રંગરાજનની રિપોર્ટ અનુસાર, માત્ર એક વર્ષમાં 9.4 કરોડ રૂપિયા વધી ગયા. તેનું કારણ એ છે કે રંગરાજને વર્ષ 2011-12 માટે ગ્રામીણ વિસ્તારોમાં 32 રૂપિયા રોજ અને શહેરી વિસ્તારમાં 47 રૂપિયા રોજનો ખર્ચ કરનારને ગરીબ માન્યો. જ્યારે તેંડુલકર સમિતિએ આ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં 27 રૂપિયા અને શહેરી વિસ્તારમાં 33 રૂપિયા રોજના ખર્ચ કરનારાઓને જ ગરીબીની શ્રેણીમાં રાખ્યા હતા.
મોદી સરકાર પાસે આશા વ્યક્ત કરતા એનસીપી નેતા તારિક અનવરે આ આંકડાઓને ખોટા ગણાવ્યા છે. તારિક અનવરે જણાવ્યું કે મારા ખ્યાલ પ્રમાણે આ આંકડા રિયલટી પર આધારિત નથી. જે રીતે મોંઘવારીમાં વધારો થયો છે, તેનાથી આ ભાવ પર લોકોનું પાલન પોષણ થાય. મને એવું નથી લાગતું. આપણા માટે શરમની વાત છે કે 10 માંથી ત્રણ લોકો ગરીબ છે. નવી સરકાર મોટા મોટા વચનો કરીને આવી છે, તેની પાસે મોટી આશા છે.
જેડીયૂ અલ અનવરે જણાવ્યું કે ગયા વર્ષની યોજના પંચની રિપોર્ટની તુલનાએ આમાં સુધાર છે. છતાં પણ તે સત્ય નથી. બ્યૂરોક્રેટ્સ જમીની વાસ્તવીકતાથી દૂર રહે છે.
મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું કે હવે આ રિપોર્ટ આવ્યો છે તો જોઇશું, ઇકોનોમિક સર્વે પણ આવશે. સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે ટિખળ કરતા જણાવ્યું કે તેઓ રંગરાજનને 100 રૂપિયા આપશે અને તેઓ ગામમાં રહીને બતાવે.

રંગરાજન સમિતિના રિપોર્ટ અનુસાર
દેશમાં નાણા વર્ષ 2011-12 દરમિયાન દર ત્રીજો વ્યક્તી ગરીબ હતો, જ્યારે એક વર્ષ પહેલા (2009-10)માં દર ચોથો વ્યક્તિ ગરીબીની શ્રેણીમાં આવતો હતો. રંગરાજનની રિપોર્ટ અનુસાર, માત્ર એક વર્ષમાં 9.4 કરોડ રૂપિયા વધી ગયા.

તેનું કારણ એ છે કે રંગરાજને વર્ષ
2011-12 માટે ગ્રામીણ વિસ્તારોમાં 32 રૂપિયા રોજ અને શહેરી વિસ્તારમાં 47 રૂપિયા રોજનો ખર્ચ કરનારને ગરીબ માન્યો. જ્યારે તેંડુલકર સમિતિએ આ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં 27 રૂપિયા અને શહેરી વિસ્તારમાં 33 રૂપિયા રોજના ખર્ચ કરનારાઓને જ ગરીબીની શ્રેણીમાં રાખ્યા હતા.

એનસીપી નેતા તારિક અનવર
મોદી સરકાર પાસે આશા વ્યક્ત કરતા એનસીપી નેતા તારિક અનવરે આ આંકડાઓને ખોટા ગણાવ્યા છે. તારિક અનવરે જણાવ્યું કે મારા ખ્યાલ પ્રમાણે આ આંકડા રિયલટી પર આધારિત નથી. જે રીતે મોંઘવારીમાં વધારો થયો છે, તેનાથી આ ભાવ પર લોકોનું પાલન પોષણ થાય, મને એવું નથી લાગતું. આપણા માટે શરમની વાત છે કે 10 માંથી ત્રણ લોકો ગરીબ છે. નવી સરકાર મોટા મોટા વચનો કરીને આવી છે, તેની પાસે મોટી આશા છે.

જેડીયૂ અલ અનવર
જેડીયૂ અલ અનવરે જણાવ્યું કે ગયા વર્ષની યોજના પંચની રિપોર્ટની તુલનાએ આમાં સુધાર છે. છતાં પણ તે સત્ય નથી. બ્યૂરોક્રેટ્સ જમીની વાસ્તવીકતાથી દૂર રહે છે.

મલ્લિકાર્જૂન ખડગે
મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું કે હવે આ રિપોર્ટ આવ્યો છે તો જોઇશું, ઇકોનોમિક સર્વે પણ આવશે. સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે ટિખળ કરતા જણાવ્યું કે તેઓ રંગરાજનને 100 રૂપિયા આપશે અને તેઓ ગામમાં રહીને બતાવે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ








Click it and Unblock the Notifications
