ભારતનું રેટિંગ ઘટાડવાનું કોઇ ઠોસ કારણ નથી : રંગરાજન

રંગરાજને જણાવ્યું કે "રેટિંગ એઁજન્સીઓએ એ હકીકતને ધ્યાનમાં લેવાની પણ જરૂર છે કે અમે તાજેતરમાં કેટલાક કડક પગલાં ભર્યાં છે. આથી જ મારો વિશ્વાસ છે કે ભારતનું રેટિંગ ધટાડવા માટે રેટિંગ એજન્સીઓ માટે કોઇ મજબૂત આધાર નથી."
તેમણે જણાવ્યું કે રેટિંગ એજન્સીઓએ દુનિયાભરમાં શું થઇ રહ્યું છે તે સંદર્ભમાં ભારતની સ્થિતિનું આકલન કરવાની જરૂર છે. મને વિશ્વાસ છે કે રેટિંગ એજન્સીઓના દ્રષ્ટિકોણમાં ચોક્કસ પરિવર્તન આવશે.
ઉલ્લેખનીય છે કે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ જેવી રેટિંગ એજન્સીઓએ ચેતવણી આપી છે કે જો ભારત જરૂરી આર્થિક સુધારા માટે યોગ્ય પગલાં લેશે નહીં તો 24 મહિનામાં ભારતનું રેટિંગ ઘટાડી તેને જંક ગ્રેડની શ્રેણીમાં મૂકી દેશે. આ ઉપરાંત રેટિંગ એજન્સીઓએ ચાલુ વર્ષમાં ભારતની આર્થિક વૃધ્ધિના અનુમાનને પણ ઘટાડી દીધું છે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
