બે વર્ષમાં ભારતનું રેટિંગ ઘટવાની શક્યતા 3માંથી એક : s&p

એસ એન્ડ પીના એનાલિસ્ટ તકાહિરા ઑગાવા અને એલેના ઑકોરોચેન્કૉએ આજે જાહેર કરેલી એક નોંધમાં જણાવ્યું છે કે "આવનારા 24 મહિનાઓમાં ભારતનું રેટિંગ ઘટવાની શક્યતા ઓછામાં ઓછી ત્રણમાંથી એકવાર જેટલી છે."

એસ એન્ડ પીએ સકારાત્મક બાબત અંગે જણાવ્યું કે તાજેતર ખાસ કરીને છેલ્લા ત્રણ સપ્તાહમાં સરકારે આર્થિક સુધારણાના જ પગલાં લીધા છે તેના કારણે સ્થિતિમાં સુધારો થઇ શકે છે. જો સરકાર નાણાકીય ખાધ ઓછી કરવામાં સફળ રહી અને રોકાણનું વાતાવરણ સુધારી વૃધ્ધિદર પાછો મેળવવામાં સફળ રહેશે તો ભારતની સ્થિતિ સ્થિરતા તરફ આગળ વધશે એમ કહી શકાય.













Click it and Unblock the Notifications
