pan card update : નકામુ થઈ શકે છે તમારૂ PAN કાર્ડ, આજે જ આ પગલા ભરો અને મુશ્કેલીથી બચો
pan card update : જો તમે આધાર એનરોલમેન્ટ IDના આધારે PAN કાર્ડ બનાવ્યું છે તો આ સમાચાર તમારા માટે છે. CBDT (Central Board of Direct Taxes) દ્વારા જારી કરાયેલા નવા આદેશ પ્રમાણે તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે. આમ થતુ અટકાવવા 31 ડિસેમ્બર 2025 પહેલા તમારે કેટલાક કામ કરી લેવા પડશે.
CBDT દ્વારા એક નવો સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે જે ખાસ કરીને તે લોકોને લગુ પડે છે જેમણે પોતાના પાન કાર્ડ માટે આધાર એનરોલમેન્ટ IDનો ઉપયોગ કર્યો હતો.

આ પ્રકારના કાર્ડધારકો માટે CBDTએ સ્પષ્ટ કર્યું છે કે તેમને 31 ડિસેમ્બર 2025 પહેલા પોતાના અસલ આધાર નંબરને પાન કાર્ડ સાથે અપડેટ કરવો ફરજિયાત છે.
આ નિયમ ખાસ કરીને એ તમામ લોકોને લાગુ પડે છે જેમણે 1 ઓક્ટોબર, 2024 અથવા તે પહેલાં આધાર નોંધણી IDના આધારે પાન કાર્ડ મેળવ્યું છે. તેમણે સમયમર્યાદા પૂરી થાય તે પહેલા પોતાના પાન કાર્ડમાં મૂળ આધાર નંબર અપડેટ કરવો જરૂરી છે.
CBDTએ જણાવ્યું છે કે, જે વ્યક્તિઓને 1 ઓક્ટોબર 2024 પહેલા દાખલ કરાયેલ અરજી ફોર્મના નોંધણી IDના આધારે PAN ફાળવવામાં આવ્યું છે તેમણે તેમના આધાર નંબરની જાણ CBDTના પ્રિન્સિપલ સિસ્ટમ ડાયરેક્ટર જનરલ અથવા અન્ય નિયુક્ત અધિકારીને 31 ડિસેમ્બર, 2025 પહેલા કરવી જરૂરી છે.
જો આ સમયમર્યાદા સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય (Inactive) થઈ શકે છે. તેનાં ઘણા ગંભીર પરિણામો હોઈ શકે છે.
- આવકવેરા રિટર્ન (ITR) માન્ય નહીં રહે
- ટીએસડી / ટીસીએસ વધુ દરે કપાશે
- ફોર્મ 15G અને 15H ભરવા અસમર્થતા
- ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવામાં વિલંબ
- મુદ્રાકોશ, બેંકિંગ અને અન્ય નાણાકીય સેવાઓમાં વિક્ષેપ
ભારત સરકાર દ્વારા પહેલથી જ આધાર અને પાન લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 નક્કી કરવામાં આવી હતી. આ સમયમર્યાદા પહેલા નાગરિકોને આ સેવા મફતમાં આપવામાં આવી હતી. જોકે, હવે પાન અને આધાર લિંક કરવા 1000 રૂપિયા દંડ ચૂકવવો પડે છે.
જો કે જેઓએ આધાર એનરોલમેન્ટ IDના આધારે PAN મેળવ્યું છે તેઓ આ પ્રક્રિયા કોઈપણ ફી વગર પૂર્ણ કરી શકે છે.
આ નવી નીતિ પાન કાર્ડધારકો માટે અતિ મહત્વપૂર્ણ છે. સમયસર પગલાં ભરશો તો નુકસાન અને ટેક્સ સંબંધિત મુશ્કેલીઓથી બચી શકશો. જો તમે આધાર એનરોલમેન્ટ ID દ્વારા પાન બનાવ્યું છે, તો આજથી જ પ્રક્રિયા શરૂ કરો અને તમારી ઓળખને સુરક્ષિત બનાવો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
