બદલાઈ ગયા છે પીપીએફ એકાઉન્ડ પ્રી ક્લોઝર રૂલ્સ, આજે જ જાણી લો
ભારતીય ટપાલ વિભાગે 7 નવેમ્બર, 2023 થી અમલમાં આવતા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ માટે સમય પહેલા બંધ કરવાના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારાની જાહેરાત કરી છે.
અહેવાલ અનુસાર, આ ફેરફારો હેઠળ ખાતાધારક અથવા પરિવાર ખાસ સંજોગોમાં પોતાનું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ બંધ કરી શકે છે.

આ શરતો અનુસાર, જો ખાતાધારક અથવા તેના પરિવારના કોઈપણ સભ્યને જીવલેણ બીમારીની સારવાર, ઉચ્ચ શિક્ષણ ખર્ચ અથવા ખાતાધારકના રહેઠાણના સ્થાનમાં ફેરફારને કારણે નાણાંની જરૂર હોય તો ખાતાધારક પોતાનું ખાતું સમય પહેલા બંધ કરાવી શકે છે.
આ સ્થિતિમાં તમે મેડિકલ રિપોર્ટ, એડમિશન પેપર્સ અને જરૂરી ઇમિગ્રેશન પેપર્સનો ઉપયોગ કરીને સરળતાથી દાવો કરી શકો છો.
આ પહેલા નિયમ એવા હતા કે, એકાઉન્ટને સમય પહેલા બંધ થવા પર અથવા એક્સ્ટેંશન પર ખાતામાં મંજૂર વ્યાજ એકાઉન્ટ ખોલવાની તારીખથી સમયાંતરે ખાતામાં જે વ્યાજ જમા કરવામાં આવ્યું છે તેના કરતા 1 ટકા ઓછું હશે.
નિયમો અનુસાર, PPF એકાઉન્ટ ખોલ્યા પછી 5 વર્ષ પહેલાં બંધ કરી શકાતું નથી. આ સિવાય જો તમારે એકાઉન્ટ વહેલું બંધ કરવું હોય તો તમારી પાસેથી વર્તમાન વ્યાજ પર 1 ટકા પેનલ્ટી પણ વસૂલવામાં આવે છે.
જો તમે વિસ્તૃત અવધિ દરમિયાન ખાતું બંધ કરો તો જૂના નિયમ મુજબ, તમારા પીએફ ખાતાની મુદત લંબાવવામાં આવી ત્યારથી તમારે પેનલ્ટી ચૂકવવી પડશે.
હવે નવા નિયમોમાં સ્પષ્ટતા કરાઈ છે કે, જો તમારું PPF એકાઉન્ટ એક્સટેંડેડ પિરિયડમાં છે તો સમય પહેલા બંધ થવાના કેસમાં દરેક 5 વર્ષના બ્લોકની શરૂઆતથી 1 ટકા પેનલ્ટીની ગણતરી કરવામાં આવશે.
આનો અર્થ એ છે કે, જો તમે PPF એકાઉન્ટને 5 વર્ષના દરેક બ્લોકમાં એક કરતા વધુ વખત લંબાવશો તો દંડ ફક્ત તે 5 વર્ષના વિસ્તૃત સમયગાળાની શરૂઆતથી જ લાગશે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ ભારતમાં બચતનું સૌથી લોકપ્રિય માધ્યમ છે. આના પર વાર્ષિક 7.01 ટકા સુધીનું વ્યાજ દર મળે છે. તે દર મહિનાના પાંચમા અને છેલ્લા દિવસની વચ્ચેની ન્યૂનતમ રકમ પર ગણવામાં આવે છે. આના પર મળતું વ્યાજ દર વર્ષે ચક્રવૃદ્ધિ થતું રહે છે, જો તમારી કંપની બદલવાને કારણે એકાઉન્ટ ટ્રાન્સફર થઈ જાય તો પણ તેનાથી કોઈ ફરક પડતો નથી.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
