હવે જો 10 રૂપિયાને લેવાની ના પાડશો તો થશે રાજદ્રોહ
આરબીઆઇએ સાફ કરી દીધુ છે દેશ ભરમાં અલગ અલગ ડિઝાઇન વાળા 10 રૂપિયાના સિક્કા છે સંપૂર્ણપણે માન્ય
10 રૂપિયાના સિક્કાને લઇને અવાર નવાર અફવાઓનું બજાર ગરમ રહે છે. તે વચ્ચે ભારતીય રિર્ઝવ બેંક સ્પષ્ટતા આપી છે કે 10 રૂપિયાના તમામ સિક્કા સંપૂર્ણપણે કાયદેસર છે. અને તે દેશમાં કોઇ પણ જગ્યાએ કોઇ પણ વ્યક્તિ ઉપયોગમાં લઇ શકે છે. એટલું જ નહીં આરબીઆઇએ ચેતવણી પણ આપી છે કે આ સિક્કાને લેવાની જો કોઇ વ્યક્તિ ના પાડે છે તો તેની સામે રાજદ્રોહનો મામલો પણ દાખલ કરી શકાય છે.
નોંધનીય છે કે આજકાલ બજારમાં તમામ જગ્યાએ 10 રૂપિયાના સિક્કાને લઇને અલગ અલગ પ્રકારના ભ્રમ ફેલાવવામાં આવ્યા છે. વળી 10 રૂપિયાના સિક્કા પર અલગ અલગ છાપ છે જેને લઇને પણ લોકોમાં મત ભેદ છે કોઇ કહે છે કે ફલાણી છાપ વાળો 10 રૂપિયાનો સિક્કો સાચો તો કોઇ કહે છે ફલાણી છાપનો. પણ આરબીઆઇએ સ્પષ્ટતા આપી છે કે ભલે છાપ અલગ અલગ હોય પણ તમામ છાપ વાળા 10 રૂપિયાના સિક્કા કાયદેસર જ છે. અને સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવ્યા છે. જેથી કરીને આ સિક્કા લેવા માટે કોઇ ના નહીં પાડી શકે અને જો તે આવું કરે છે તો તેની પર દંડાત્મક પગલા લેવા આવશે.
Read also : આ દેશના નાગરિકોને હવે નહીં આપવો પડે ઇનકમ ટેક્સ
નોંધનીય છે કે એક સમાચાર એજન્સી દ્વારા 10 રૂપિયાના સિક્કાને નકલી કહેવામાં આવતા પાછળથી આ અફવાઓ વધી હતી. જે પછી આરબીઆઇએ આ અંગે સ્પષ્ટતા આપી છે. વધુમાં અલગ અલગ છાપ અંગે પણ આરબીઆઇએ સ્પષ્ટતા આપતા કહ્યું છે કે અલગ અલગ સમયે જાહેર થયા હોવાના કારણે આ સિક્કા પર અલગ અલગ છાપ છે પણ આ તમામ સિક્કા સંપૂર્ણ પણે કાયદેસર છે. નોંધનીય છે કે ભારતીય સંવિધાન મુજબ કોઇ વ્યક્તિ દેશની કાયદેસરની મુદ્ગાને લેવાની ના પાડે છે તો તેની પર રાજદ્રોહનો કેસ ચલાવી શકાય છે. અને તેને આઇપીસી ધારા 124 (1) હેઠળ દંડ મળી શકે છે.