RBI અને સરકાર વચ્ચે સંકલન જરૂરી : સુબ્બારાવ

સુબ્બારાવે એમ પણ જણાવ્યું કે "આરબીઆઇ એકલા હાથે આર્થિક સમસ્યાઓનો નિવેડો લાવી શકે એમ નથી. સરકારે પણ તેની તિજોરી અંગે કામ કરવાની જરૂર છે. સરાકારે નાણાકીય અને રાજકોષીય નીતિઓની વચ્ચે સંકલન સાધવાની જરૂર છે."
રિઝર્વ બેંકના ગવર્નર ડી સુબ્બારાવે મુંબઇમાં સી ડી દેશમુખ સ્મૃતિ વ્યાખ્યાનમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત જોસેફ સ્ટિગિલિટ્સનું સ્વાગત કરતા જણાવ્યું કે "સંયુક્ત કે સમાન લક્ષ્યાંકની પ્રાપ્તિ માટે નાણાકીય અને રાજકોષીય નીતિઓમાં સંકલન સાધવું જરૂરી છે." વ્યાજ દર ઘટાડવા તથા નવા બેંક લાયસન્સ સહિતના વિવિધ મુદ્દાઓને સાથે રાખીને રિઝર્વ બેંક તથા નાણા મંત્રાલયની વચ્ચે સહમતિ વચ્ચે સુબ્બારાવનું આ નિવેદન અનેક બાબતો તરફ ધ્યાન ખેંચે છે.
નાણા મંત્રાલય અને વેપાર મંત્રાલયના સંકેતો છતાં રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઇ કાપ મૂકવામાં આવ્યો ન હતો. નાણા મંત્રી પી ચિદમ્બરમે આશ્વાસન આપ્યું છે કે સરકાર સમયસર બેંકિંગ કાયદામાં સુધારા લાવશે. આમ થતાં રિઝર્વ બેંકે બેંકિંગ લાયસન્સ આપવાની પ્રક્રિયા શરૂ કરી નથી.
રિઝર્વ બેંક ત્રીજી ત્રિમાસિક નાણાકીય સ્થિતિની સમીક્ષા 29 જાન્યુઆરીએ કરશે. તેમાં રેપો રેટ ઘટાડવામાં આવે એવી શક્યતા છે. સુબ્બારાવે આગળ જણાવ્યું કે આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે રોકાણકારોમાં વિશ્વાસ વધારવા માટે કામકાજ સુધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે "ગ્રાહકો તથા વેપારીઓનો વિશ્વાસ વધારવા માટે સરકારી કામકાજને સુધારવાની પણ જરૂરિયાત છે."
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
