ભારતીય અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે RBI ગવર્નરે કરી આ ઘોષણાઓ
શુક્રવારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કૉન્ફરન્સ કરીને ભારતીય અર્થવ્યવસ્થા વિશે ઘણા મોટા એલાન કર્યા.
કોરોના વાયરસના કારણે આખી દુનિયાની અર્થવ્યવસ્થા બગડી ગઈ છે. ભારત પણ આનાથી અળગુ નથી. શુક્રવારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કૉન્ફરન્સ કરીને ભારતીય અર્થવ્યવસ્થા વિશે ઘણા મોટા એલાન કર્યા. સાથે જ આવનારા સમયમાં ભારત સામે આવનાર પડકારોને પણ જણાવ્યા. ભારતીય અર્થવ્યવસ્થામાં આ વર્ષે મોટી તંગી જોવા મળશે પરંતુ અન્ય દેશોની તુલનામાં આપણી સ્થિતિ સારી રહેશે. આવો જાણીએ આરબીઆઈ ગવર્નરે કરેલી ઘોષણાઓની મોટી વાતો -

1. કોરોનાના કારણે 2020 ગ્લોબલ ઈકોનૉમી માટે સૌથી મોટુ મંદીનુ વર્ષ છે. આના કારણે 2020 દુનિયાના વેપારમાં 13થી 33 ટકાના ઘટાડાનુ અનુમાન છે. જો કે જી20માં ભારતની સ્થિતિ અન્ય દેશોની તુલનામાં ઘણી સારી રહેશે.
2. ભારતમાં કોરોનાના કારણે એક્સપોર્ટની સ્થિતિ માર્ચમાં ઘણી ખરાબ રહી છે. વળી, માર્ચમાં ઑટોમોબાઈલ પ્રોડક્શન અને સેલ પણ ઘટ્યુ છે. તેમ છતાં દેશમાં વિદેશી મુદ્રાનો પૂરતો ભંડાર છે.
3. RBIના ગવર્નર શક્તિકાંત દાસે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડાનુ એલાન કર્યુ.
4. કોરોના વાયરસના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટુ નુકશાન ઉઠાવવુ પડશે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આ વર્ષ ચોમાસુ સારુ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં અર્થવ્યવસ્થાને મંદીના સમયમાં સહારો મળશે.
5. આરબીઆઈના ગવર્નરના જણાવ્યા મુજબ ભારતમાં કોરોના કાલે ખતમ થઈ ગયા બાદ દેશની જીડીપી 7 ટકાના દરથી આગળ વધશે. કોરોનાના કારણે 2020માં 1.9 ટકા રહેશે જીડીપીની ગતિ.
6. ભારતમાં 1929 બાદ સૌથી મોટી આર્થિક તંગી આવી છે તેમછતાં કેશમાં કોઈ કમી નહિ આવવા દેવામાં આવે.
7. આર્થિક નુકશાનને ઘટાડવાની કોશિશ ચાલુ છે. 91 ટકા એટીએમ કામ કરી રહ્યા છે. બેંકિંગ સિસ્ટમ સંપૂર્ણપણે કામ કરી રહ્યા છે.
8. આ મંદીના સમયમાં પણ બેંક બજારમાં 50 હજાર કરોડ રૂપિયાનુ રોકાણ કરશે.
9. SIDBI ને 15 હજાર કરોડ રૂપિયાની, NHBને 10 હજાર કરોડ રૂપિયાની અને NABARDને 245 હજાર કરોડ રૂપિયાની મદદ.
10. રાજ્ય સરકારો માટે WMA સીમા 60 ટકા વધી.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
