For Quick Alerts
For Daily Alerts
RBIએ સોનાની આયાત પર નવા પ્રતિબંધ લગાવ્યા
નવા નિયમો અનુસાર બધી જ બેંકો અને અધિકૃત એજન્સીઓને આયાત કરવામાં આવેલા સોના પર ઓછામાં ઓછા 20ટકા નિકાસ માટે ઉપલબ્ધ કરાવવું પડશે. અને આટલી માત્રામાં આયાત કરવામાં આવેલા સોનાને સીમા શુલ્ક વિભાગ પાસે રાખવું પડશે.
રિઝર્વ બેંકે જાહેર કરેલી અધિસૂચના અનુસાર 'આ માટે તમામ સૂચિત બેંકો અને એજન્સીઓએ ઓછામાં ઓછી સોનાની આયાતનું કોઇ પણ સ્વરૂપે તેનો પાંચમો હિસ્સો એટલે કે 20 ટકા નિકાસના ઉદ્દેશ્યથી ઉપલબ્ધ કરાવવું પડશે.' તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની આયાત સૂચિત એજન્સીઓ દ્વારા નિકાસકારોને નાણા ઉપલબ્ધ કરાવવા સંબંધિત હશે.
બેંકો દ્વારા અન્ય એકમોએ આયાત કરવામાં આવેલા સોનાની 20 ટકા માત્રા સીમા શુલ્ક વિભાગ સાથે સંકળાયેલા ગોદામોમાં રાખવી પડશે. આરબીઆઇએ આ નવા નિયમો લાગુ કરીને સોનાની આયતને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે.
Comments
English summary
RBI imposed new restrictions on gold import
Story first published: Tuesday, July 23, 2013, 12:14 [IST]