RBI જાહેર કરી 500 રૂપિયાની નવી નોટ, જૂની નોટનું થશે આ...
આરબીઆઇએ જાહેર કરી નવી 500 રૂપિયાની નોટ જો કે જૂની 500 નોટ પણ રાબેતા મુુજબ ચાલતી રહેશે.
ગત વર્ષે નવેમ્બરમાં થયેલી નોટબંધી પછી હવે ભારતીય રિર્ઝવ બેંક નોટોને લઇને ફરી એક વાર એક મોટો નિર્ણય લીધો હતો. આરબીઆઇએ 500 રૂપિયાની નોટને લઇને આજે ફરી એક વાર એક મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ 500 રૂપિયાની નવી બેન્ચ જાહેર કરી છે.
500ની નોટમાં શું નવું?
આરબીઆઇએ મંગળવારે એક નવી સિક્યોરિટી ફિચર સાથેની 500 રૂપિયાની નોટ જાહેર કરી છે. 500 રૂપિયાની આ નવી નોટમાં કેપિટલ લેટર A ને સિક્યોરીટી તરીકે જોડવામાં આવ્યો છે. આ નવી નોટની તમામ ડિઝાઇન 500 રૂપિયાની નવી નોટ જેવો જ છે. જલ્દી આ નોટ બેંકોમાં આવશે.
શું થશે જૂની નોટનું?
500 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની સાથે જ ભારતીય રિર્ઝવ બેંકે વર્તમાનમાં માર્કેટમાં ચાલી રહેલી જૂની નોટો અંગે પણ જાણકારી આપતા કહ્યું કે વર્તમાનમાં ચાલી રહેલા 500 રૂપિયાના નોટ પણ પહેલાની જેમ જ ચાલતા રહેશે અને તેનો વપરાશ સંપૂર્ણ પણે કાનૂની રહેશે. નવા નોટના આવવાથી જૂની નોટને કોઇ અસર નહીં થાય. અને જલ્દી જ નવી નોટો બેંકમાં પહોંચશે.
8 નવેમ્બર થઇ હતી નોટબંધી
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 8 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. અને જૂની 500 અને 1000 રૂપિયાની નોટ રદ્દ કરી હતી. જે બાદ આપતકાલિન સેવાઓને છોડીને તમામ જગ્યા પર જૂની નોટોના વપરાશને બંધ કરવામાં આવ્યો હતો. જે પછી નવા નોટો જાહેર કરવામાં આવ્યા હતા.
એક રૂપિયાની નવી નોટ
આ સાથે આરબીઆઇએ થોડા સમય પહેલા કહ્યું હતું કે તે જલ્દી જ એક રૂપિયાની નવી નોટ જાહેર કરશે. જો કે આ અંગે કોઇ તારીખ જાહેર કરવામાં નથી આવી.