RBIનો નવો આદેશ, બેંકમાંથી 15,000 થી વધુ નહીં ઉપાડી શકો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કેટલીક બેંકો પર દંડ લાદવામાં આવ્યા બાદ હવે એક બેંકે ઉપાડની મર્યાદા નક્કી કરી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કેટલીક બેંકો પર દંડ લાદવામાં આવ્યા બાદ હવે એક બેંકે ઉપાડની મર્યાદા નક્કી કરી છે. RBI દ્વારા મુંબઈની રાયગઢ કો-ઓપરેટિવ બેંક પર અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. બેંકની કથળતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય બેંકે આ પગલું ભર્યું છે.

15 હજાર ઉપાડ મર્યાદા
રાયગઢ કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકો માટે કેન્દ્રીય બેંક દ્વારા 15,000 રૂપિયાની ઉપાડ મર્યાદા લાદવામાં આવી છે. આ કડકતા પછી, સહકારીબેંક રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી વિના લોન આપી શકશે નહીં, કોઈ રોકાણ કરી શકશે નહીં અને નવી થાપણો સ્વીકારી શકશે નહીં.

આ પ્રતિબંધ છ મહિના સુધી ચાલુ રહેશે
રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બેંકના ગ્રાહકો તેમના બચત અને ચાલુ ખાતામાંથી 15,000 રૂપિયાથીવધુ ઉપાડી શકશે નહીં.
બેંક પરના આ નિયંત્રણો છ મહિના માટે લાગુ રહેશે. રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે, રાયગઢ કો-ઓપરેટિવ બેંકનેઆપવામાં આવેલી સૂચનાઓનો અર્થ બેંકિંગ લાયસન્સ રદ્દ કરવાનો નથી.

બે મોટી બેંકો પર દંડ ફટકારવામાં આવ્યો
આ અગાઉ, આરબીઆઈએ નિયમોનું પાલન ન કરવા બદલ બે મોટી બેંકો પર દંડ લગાવ્યો હતો. આરબીઆઈ દ્વારા આપવામાં આવેલીમાહિતીમાં કહેવામાં આવ્યું છે કે, કોટક મહિન્દ્રા બેંક અને ઈન્ડસઈન્ડ બેંકને નિયમનકારી અનુપાલનનું પાલન ન કરવા બદલ એક-એક કરોડરૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
