મુકેશ અંબાણી હવે સોનાના વેપારમાં પણ ઝંપલાવશે, જાણો પ્લાનિંગ
મુકેશ અંબાણી હવે સોનાના વેપારમાં પણ ઝંપલાવશે, જાણો પ્લાનિંગ
નવી દિલ્હીઃ જલદી જ દેશમાં રિલાયન્સના જ્વેલરી શોરૂમ ખુલશે. મુકેશ અંબાણીની આગેવાની વાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતમાં ટિફની એન્ડ કંપની બ્રાંડ લઈને આવનાર છે. જાણકારી મુજબ આના માટે રિલાયન્સ બ્રાન્ડ્સ અને ટિફનીએ સંયુક્ત ઉદ્યોગની ઘોષણા કરી છે. જણાવી દઈએ કે ટિફનીએ રિલાયન્સ સાથે મળી દેશમાં અમેરિકી લગ્ઝરી જ્વેલર્સના સ્ટોર્સ ખોલવા માંગે છે. જ્યારે ટિફનીએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ નાણાકીય વર્ષ 2019-20ના બીજા ક્વાર્ટરમાં દિલ્હીમાં સ્ટોર્સ ખોલવા માંગે છે. જ્યારે મુંબઈમાં આગામી નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં એન્ટ્રી કરશે.
જ્વેલરીના શોરૂમ ખોલશે
જાણકારી મુજબ ટિફનીના કાર્યકારી ઉપાધ્યક્ષ ફિલિપ ગલટીએ કહ્યું કે, 'એક વૈશ્વિક લગ્ઝરી જ્વેલર જેના દુનિયાના સૌથી મહત્વપૂર્ણ શહેરોમાં સ્ટોર્સ છે, જે ભારતીય વાણિજ્ય કેન્દ્રમાં લગ્ઝરીના વધતા ઉપભોક્તાઓને એક વિશિષ્ટ અવસર આપશે. ટિફનીને ભારતમાં કોઈ પરિચયની જરૂત નથી.'
6.8 કરોડ પાઉન્ડની ડીલ
જો કે રિલાયન્સ બ્રાન્ડ્સના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી દર્શન મેહતાએ કહ્યું કે ટિફનીને ભારતમાં કોઈ પરિચયની જરૂરત નથી. અમે ટિફનીના પ્રસિદ્ધ જ્વેલરી કલેક્શન્સ અને શાનદાર કલેક્શન્સ ભારત લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અગાઉ રિલાયન્સ બ્રાન્ડ્સે પ્રતિષ્ઠિત બ્રિટિશ ટૉય રિટેલર હેમલેજનું પણ જુલાઈમાં અધિગ્રહણ કર્યું. આ ડીલ 6.8 કરોડ પાઉન્ડમાં કરવામાં આવી હતી.
લદ્દાખનો તે છોડ, જેને પીએમ મોદીએ સંજીવની ગણાવ્યો
રિલાયન્સ 5500 પેટ્રોલ પોમ્પ ખોલી રહી છે
માત્ર જ્વેલરી ક્ષેત્રે જ નહિ બલકે મુકેશ અંબાણી પોતાના પેટ્રોલિયમ બિઝનેસનું પણ વિસ્તરણ કરી રહ્યા છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ(આરઆઈએલ) અને બ્રિટિશ પેટ્રોલ કંપની બીપી મળી ભારતમાં 5500 પેટ્રોલ પંપ ખોલવા જઈ રહ્યા છે. આ પેટ્રોલ પંપ ખોલવા માટે બંને કંપનીઓ એક જોઈન્ટ વેંચર કંપંની બનાવશે. આ નવી કંપનીના માધ્યમથી દેશની વિમાન કંપનીઓને એવિએશન ટર્બાઈન ફ્યુલ(એટીએફ) પણ પહોંચાડાશે. બંને કંપનીઓ દ્વારા અપાયેલ નિવેદન દ્વારા આ જાણકારી અપાઈ છે. આ સમયે જો તમે પણ પેટ્રોલ પંપ ખોલવા ઈચ્છો છો તો તમારી માટે આ સારી તક છે. તો આવો જાણીએ તેની ડીલરશીપ કેવી રીતે મેળવી શકાશે.