For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે 2 મહિના પહેલાં રેલવે ટિકિટનું રિઝર્વેશન થશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

train
નવી દિલ્હી, 26 એપ્રિલ: રેલવેએ ગુરૂવારે ટિકિટોના રિઝર્વેશનની અગ્રિમ બુકિંગની સમય મર્યાદાને ચાર મહિનાથી ઘટાડીને બે મહિના કરવાનો નિર્ણય કર્યો છે. નવી વ્યવસ્થા એક મેથી લાગૂ કરાશે. રેલવે દ્રારા જાહેર કરવામાં એક અધિસૂચના અનુસાર રિઝર્વેશન ટિકિટોની બુકિંગની અગ્રિમ સમય મર્યાદાને 1 મેથી 120 દિવસથી ઘટાડીને 60 દિવસ (મુસાફરીની તારીખને છોડીને) રહેશે.

જો કે 30 એપ્રિલ સુધી અગ્રિમ રિઝર્વેશનની હાલની વ્યવસ્થા લાગૂ રહેશે. રેલવેના દલાલોને જથ્થાબંધ ટિકિટો બુક કરાવવાની વ્યવ્સ્થાને રોકવાના હેતુથી આવા પગલાં ભરવામાં આવ્યાં છે કારણ કે આ પ્રકારની ફરિયાદો મળી રહી હતી કે દલાલો મોટી સંખ્યામાં ટિકિટો બુક કરાવી લે છે. સામાન્ય રીતે મુસાફર પોતાની યાત્રા શરૂ કરવાના બે મહિના પહેલાં ટિકિટ બુક કરાવે છે. રેલવેની અધિસૂચના મુજબ વિદેશી પર્યટકો માટે 365 દિવસની સમય મર્યાદામાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું નથી.

English summary
Railways has reduced advance booking period from four months to two months from May 1 as part of its efforts to prevent touts from cornering bulk of tickets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X