SBIએ આપી સ્પષ્ટતા, ATMના ટ્રાંજેક્શન પર ક્યાં કેટલું કપાશે?
ભારતીય સ્ટેટ બેંકે સ્પષ્ટતા આપી છે કે 1 જૂનથી ભારતીય સ્ટેટ બેંક એટીએમથી થતા દરેક ટ્રાંજેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ નહીં લે પણ તેના બદલે આ પ્રણાલી અનુસરશે. જાણો અહીં
ગત કેટલાક દિવસોથી ભારતીય સ્ટેટ બેંકમાં એટીએમથી પૈસા નીકાળવા પર 25 રૂપિયા ચાર્જની વાત કરવામાં આવી રહી છે. જે બાદ રાજકારણ પણ ગરમાયું છે અને ગ્રાહકો પણ રોષે ભરાય છે. જો કે તે પછી ભારતીય સ્ટેટ બેંકે આ ખબરોનું ખંડન કરતા વિગતવાર આ અંગે સ્પષ્ટતા આપી છે અને જાણકારી આપી છે કે કેવી રીતે ભારતીય સ્ટેટ તેના એટીએમ ટ્રાંજેક્શન પર ચાર્જ કરશે. તો આ અંગે ભારતીય સ્ટેટ બેંકની શું કહેવું છે વિગતવાર જાણો અહીં...

25 રૂપિયા ચાર્જ
ભારતીય સ્ટેટ બેંકે સ્પષ્ટતા આપી છે કે 1 જૂનથી ભારતીય સ્ટેટ બેંક એટીએમ પર થતા દરેક ટ્રાંજેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ નહીં લે. બેંકે જણાવ્યું છે કે આ ચાર્જ ખાલી તે લોકો માટે છે જે સ્ટેટ બેંકના ઇ વોલેટ "એસબીઆઇ બડી" થી એટીએમ દ્વારા પૈસા નીકાળે છે. આ પહેલા તેવી ખબર ફેલાઇ હતી કે બેંક તમામ એટીએમના પ્રત્યેક ટ્રાંજેક્શન પર 25 રૂપિયા લેશે.

મફત ટ્રાંજેક્શન કેટલું?
ભારતીય સ્ટેટ બેંકે મફત એટીએમ ટ્રાંજેક્શનની સીમામાં કોઇ બદલાવ નથી કર્યો. જન ઘન ખાતા ગ્રાહકોને મહિનામાં 4 વખત મફત એટીએમ ટ્રાંજેક્શન કરવા મળશે. ત્યાંજ એક સામાન્ય સેવિંગ બેંક એકાઉન્ટ વાળા ખાતા ગ્રાહકો મેટ્રો સિટીઝમાં મહીનામાં 8 વાર મફતના ટ્રાંજેક્શનની છૂટ આપે છે. જેમાં 5 વાર એસબીઆઇ અને 3 અન્ય કોઇ બેંકના એટીએમથી આ છૂટ આપવામાં આવી છે. આ સિવાય નોન મેટ્રો શહેરોમાં 10 ટ્રાંજેક્શન મફત છે. જેમાંથી 5 એસબીઆઇ અને 5 અન્ય બેંકોના એટીએમથી કરી શકાય છે.

SBI ને રાજકારણ
ભારતીય સ્ટેટ બેંક દ્વારા દરેક ટ્રાંજેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લગાવાની વાત પર દેશ ભરમાં અત્યાર સુધી અલગ અલગ શહેરોમાં વિરોધ થઇ ચૂક્યો છે. આનાથી રાજકારણમાં પણ ગરમવો જોવા મળ્યો હતો. સીપીએમના નેતા એમબી રાજેશે તેની અપમાનજનક જણાવતા કેન્દ્ર સરકાર પર છેતરપીંડીનો આરોપ પણ લગાવ્યો હતો.

એસબીઆઇ સાથે નોકરી
{promotion-urls}
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
