બદલાઇ ગયું છે ભારતીય રેલવેનું ટાઇમ ટેબલ, 1 ઓક્ટોબરથી લાગુ થશે
ટ્રેનમાં મુસાફરી કરતા લાખો લોકો માટે મહત્વના સમાચાર છે. ભારતીય રેલવે 1 લી ઓક્ટોબરથી પોતાનું નવું ટાઈમ ટેબલ જાહેર કરવા જઈ રહ્યું છે. રેલવેએ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Indian Railway : ટ્રેનમાં મુસાફરી કરતા લાખો લોકો માટે મહત્વના સમાચાર છે. ભારતીય રેલવે 1 લી ઓક્ટોબરથી પોતાનું નવું ટાઈમ ટેબલ જાહેર કરવા જઈ રહ્યું છે. રેલવે વિભાગ દ્વારા આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવા ટાઈમ ટેબલની રજૂઆત સાથે, ઘણી ટ્રેનના આગમન અને પ્રસ્થાનમાં ફેરફાર થશે. સ્ટેશન પર ટ્રેનના આગમનના સમયમાં ફેરફાર થશે. ઉત્તર રેલવે વિભાગ દ્વારા પણ 24 ટ્રેનની કેટેગરીની જાહેરાત કરવામાં આવી છે.

રેલવેનું નવું ટાઇમ ટેબલ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય રેલવે પોતાનું નવું ટાઇમ ટેબલ જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે, કોરોનાને કારણે આ ટાઇમ ટેબલ ગયા વર્ષે બહાર પાડવામાં આવ્યું ન હતું, પરંતુ આ વર્ષે 1 ઓક્ટોબરથી નવા ટાઇમ ટેબલના રિલીઝની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, નવું ટાઈમ ટેબલ બહાર કરવામાં આવ્યા બાદ ઘણી ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય, સ્ટેશન પર તેમના રોકાવાના સમય વગેરે બધુ બદલાશે. એટલે કે, જો તમે 1 ઓક્ટોબર પછી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો મુસાફરી કરતા પહેલા પહેલા ટ્રેનનું નવુ ટાઇમ ટેબલ અને ટ્રેનનો સમય ચોક્કસથી જાણી લો.

પહેલી ઓક્ટોબરથી ટ્રેનનું નવું ટાઇમ ટેબલ લાગુ થશે
જેમ જેમ વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યુ છે અને રસીકરણમાં પણ વધારો થઇ રહ્યો છે, તેમ તેમ રેલવે સેવાઓ પાટા પર પરત ફરી રહી છે. નવું ટાઈમ ટેબલ લાગુ થયા બાદ ભાડું પણ વધી શકે છે. નવા ટાઇમ ટેબલના અમલ બાદ ટ્રેનની શ્રેણી પણ બદલાશે. એવી શક્યતા છે કે, 1 ઓક્ટોબરથી નવા ટાઇમ ટેબલના અમલ બાદ રેલવે મુસાફરોને રાહત મળશે, પેસેન્જર ટ્રેનની સ્થિતિ પણ બદલાઈ શકે છે. ટ્રેનને જન શતાબ્દી, સુપરફાસ્ટ, એક્સપ્રેસ ટ્રેનની શ્રેણીની સાથે વિશેષની જગ્યાએ રજૂ કરવામાં આવશે. સ્થિતિના બદલાવ સાથે ટ્રેનના ભાડામાં પણ વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે.

રેલવેએ ટ્રીપમાં પણ વધારો કર્યો
મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવેએ ગોરખપુર અને મુંબઈ વચ્ચે દોડતી વિશેષ ટ્રેનોની ટ્રીપમાં વધારો કર્યો છે. રેલવેએ 1 જોડી ટ્રેનની આવર્તન વધારી છે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન સંપૂર્ણપણે આરક્ષિત વર્ગની ટ્રેન છે. મુસાફરોના ધસારાને નિયંત્રિત કરવા માટે રેલવેએ તેની આવર્તન વધારવાનો નિર્ણય કર્યો છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
