સાંઈ બાબાને ચઢાવેલા પૈસા મુકવાની બેંકોમાં જગ્યા બચી નથી

શિરડીમાં આવેલા સાંઈ બાબાના મંદિરમાં એટલો બધો ચઢાવો છે કે બેંકો પાસે તેને રાખવા માટે કોઈ જગ્યા બચી નથી.

શિરડીમાં આવેલા સાંઈ બાબાના મંદિરમાં એટલો બધો ચઢાવો છે કે બેંકો પાસે તેને રાખવા માટે કોઈ જગ્યા બચી નથી. આના કારણે, બેંકોએ મંદિરના પૈસા લેવાની ના પાડી દીધી છે. બેંકો દ્વારા પૈસા ન લેવાને કારણે, મંદિરના દાનપત્રને ખોલીને દાનના પૈસાની ગણતરી કરવાનું બંધ કરવામાં આવ્યું છે. આ માહિતી શ્રી સાંઈ બાબા ઇન્સ્ટિટ્યુટ ટ્રસ્ટના સીઇઓ દીપક મુગલીકરએ આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે, દાનમાં વધારે પ્રમાણમાં સિક્કા હોય છે, જે હવે બેંક લેતી નથી. મુગલીકરે કહ્યું કે આ સ્થિતિથી ભારતીય રિઝર્વ બેન્કને અવગત કરાવવામાં આવી છે.

sai baba

દર અઠવાડિયે બે વાર ખુલે છે દાનપત્ર

શ્રી સાંઈ બાબા ઇન્સ્ટિટ્યુટ ટ્રસ્ટના સીઇઓ દીપક મુગલીકરના જણાવ્યા મુજબ મંદિરમાં દાનપત્ર અઠવાડિયામાં બે વાર ખોલવામાં આવે છે અને ભક્તોનું દાન ગણવામાં આવે છે અને તેને બેંકમાં જમા કરાવામાં આવે છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે દરેક વખતની ગણતરીમાં 2 કરોડ રૂપિયા સુધીનું ભક્તોનું દાન મળે છે. તેમાંથી 5 લાખ રૂપિયા સુધીના સિક્કા હોય છે. આ સિક્કાઓ અને રોકડને રોટેશનના આધાર પર 8 રાષ્ટ્રીય બેંકોમાં વારાફરતી જમા કરાવવામાં આવે છે.

બેંકોએ સિક્કા લેવાનો ઇનકાર કર્યો

મુગલીકર અનુસાર, છેલ્લા કેટલાક મહિનાથી, બેંક તેમને જગ્યાની અછત વિશે જણાવી રહ્યા હતા. બેંકો કહે છે કે તેમની પાસે સિક્કા રાખવા માટે કોઈ જગ્યા નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સમયે, બેંકોમાં ડિપોઝિટ તરીકે શ્રી સાંઈ બાબા ઇન્સ્ટિટ્યુટ ટ્રસ્ટએ લગભગ 1.5 કરોડ રૂપિયાના સિક્કા જમા કરેલા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X