1 ઓક્ટોબરથી બદલાશે આ 5 નિયમ, થશે તમારો ફાયદો
1 ઓક્ટોબરથી બદલાઇ રહ્યા છે પાંચ નિયમો. મોબાઇલના બિલથી લઇને એસબીઆઇ બેંક સુધી 1 ઓક્ટોબરથી નવા નિયમો સાથે આ ફેરફારો થવાના છે. તો જાણો શું છે આ નિયમો જેમાં થઇ રહ્યો છે ફેરફાર
1 ઓક્ટોબરથી કેટલાય મહત્વના નિયમો બદલાઇ રહ્યા છે. જ્યાં કેટલીક વાતોના કારણે તમને લાભ થશે અને કેટલીક વસ્તુઓના કારણે તમને મુશ્કેલી પણ થઇ શકે છે. 1 ઓક્ટોબરથી જે મહત્વના 5 નિયમોમાં ફેરફાર થવાનો છે તેની અસર સમગ્ર દેશ પર પડશે. નોકરીયાતથી લઇને વેપારી સુધી તમામ લોકોને આ નિયમ લાગુ પડશે. ત્યારે જાણી લો શું છે આ નિયમોની ફેરફાર. અને જો તમને જાણકારી મહત્વની લાગે તો શેયર કરવાનું ના ભૂલતા.

સમાન પર એમઆરપી
1 જુલાઇથી જીએસટી લાગુ થયું છે. સરકારે વેપારીઓની સુવિધા માટે 30 સપ્ટેમ્બર સુધી એમઆરપી પર સામાન વેચવાની છૂટ આપી છે. તે પછી તમામ વેપારીઓને નવી એમઆરપી મુજબ જ સામાન વેચવો પડશે. તેવામાં 1 ઓક્ટોબરથી જે સૌથી મોટો ચેન્જ આવશે તે એ છે કે તમને નવી એમઆરપી પર સામાન મળશે. અને 30 સપ્ટેમ્બર પછી પણ કોઇ જૂની એમઆરપી પર સામાન વેચે છે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

SBI
હાલમાં જ ભારતીય સ્ટેટ બેંકે મિનિમમ બેલેન્સ સીમા ઘટાડી મેટ્રો શહેરોના ગ્રાહકોને ભેટ આપી છે. પહેલા મેટ્રો શહેરોની બેંકોમાં ન્યૂનતમ બેલેન્સ સીમા 5000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પણ હવે બેંકે તેને ઓછી કરીને 3000 રૂપિયા કરી લીધી છે. આ નવો નિયમ પણ 1 ઓક્ટોબરથી લાગુ થશે.

SBI નહીં લે આ બેંકના ચેક
30 સપ્ટેમ્બરથી ભારતીય સ્ટેટ બેંક કેટલીક બેંકોના ચેક નહીં સ્વીકારે. સાથે જ આ બેંકોના આઇએફએસસી કોડ અમાન્ય થઇ જશે. આ માટે કરીને ભારતીય સ્ટેટ બેંકે તેની પૂર્વ સહયોગી બેંકો અને ભારતીય મહિલા બેંકોના ગ્રાહકોને આવેદન પણ આપ્યું છે કે તે નવા ચેક માટે આવેદન ભરે. એસબીઆઇમાં સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેંકનું નામ છે.

ટોલ ટેક્સ
1 ઓક્ટોબરથી નેશનલ હાઇવે પર બનેલા ટોલ પ્લાન પર તે વહાનોને રોકાવાની જરૂર નથી જેની પર ફાસ્ટટેગ લાગ્યા હોય. તમામ ટોલ પ્લાઝા પર 1 ઓક્ટોબરથી એક ડેડિકેટેડ ફાસ્ટૈગ લેન તૈયાર કરવામાં આવશે. જ્યાં ખાલી ફાસ્ટેગ ટેગ વાળી ગાડી જ ચાલશે. આ ફાસ્ટટેગને ઓનલાઇન પણ રિચાર્જ કરાવી શકાય તેવી સુવિધા છે. અને પછી તમારે તેને તમારા વાહનના કાચ પર લગાવાની રહેશે જેને ટોલ પ્લાજાનું ડિવાઇઝ સ્કેન કરશે.

આઇયૂસી ચાર્જ
1 ઓક્ટોબરથી તમારી કોલ રેટ પણ ઓછી થશે. ટ્રાઇ પોતાના નિયમોમાં ફેરબદલ કરી રહી છે. જે અંતર્ગત આઇયૂસી ચાર્જમાં 50 ટકાથી વધુ કપાત કરવામાં આવી છે. પહેલા આઇયૂસી ચાર્જ 14 પૈસા પ્રતિ મિનિટ હતું જેને 8 પૈસા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આઇયૂસી તે ચાર્જ છે જે એક કંપની બીજી કંપનીને આપે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
