બેંક મિત્ર કોણ છે? પ્રધાનમંત્રી જન ધન ખાતુ ખોલવામાં કેવી રીતે મદદ કરે છે?
બેંક મિત્ર એ બેંક અને બેંકિંગ સેવાઓ સંબંધિત એજન્ટ જેવું જ કામ કરે છે. જો કે તફાવત એટલો જ છે કે બેંક મિત્ર જ્યાં બેંકિંગ સેવાઓ ના હોય તેવા વિસ્તારોમાં કામ કરે છે. બેંક મિત્ર એવા વિસ્તારોમાં મદદ કરે છે જ્યાં એટીએમ અને બેંકોની બ્રાન્ચ હોતી નથી.
બેંક મિત્ર અનેક સેવાઓ પુરી પાડે છે. જેમાં મહત્વના ગ્રાહકોને તેમના બેંકનું એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરે છે. આ માટે તેમના એકાઉન્ટ્સનું વેરિફિકેશન, ઓળખ અને સંબંધિત દસ્તાવેજો એકત્ર કરે છે.

બેંક મિત્ર બેંક એકાઉન્ટ ખોલાવવા સંબંધિત ફોર્મ ભરવાથી લઇને બેંકના વ્યવહારો કેવી રીતે કરી શકાય તે અંગે પણ મદદ કરે છે.
બેંક મિત્ર કોણ હોઇ શકે?
બેંક મિત્ર કોઇ નિવૃત્ત વ્યક્તિ, નિવૃત્ત શિક્ષક, સરકારી કર્મચારી, લશ્કરના એક્સ સર્વિસમેન, એજન્ટ્સ વગેરેમાંથી કોઇ પણ હોઇ શકે છે. આ લોકો બેંક મિત્ર બનીને આપને પ્રધાનમંત્રી જન ધન યોજના માટેનું ખાતુ ખોલાવવામાં મદદરૂપ બને છે.












Click it and Unblock the Notifications
