મુંબઈ હુમલા બાદ ભારતના સુરક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સઘન વધારો
મુંબઈમાં 26 નવેમ્બરે 2008ના રોજ થયેલ પાકિસ્તાની આતંકવાદીઓના હુમલાએ પશ્ચિમી દેશોને વૈશ્વિક આતંકવાદના ખતરા પ્રત્યે જગાવ્યા, તથા 26/11 હુમલાએ ભારતને પોતાની સુરક્ષા ચિંતાઓ સ્વીકાર કરવા અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ મજબૂર કર્યા. આ હુમલાએ ભારતની કમીઓ પ્રદર્શિત કરી અને ભારતે આ સુરક્ષા કમીઓ પૂર્ણ કરવા જમીન-આકાશ એક કરી દીધું.

જેટલી સહેલાઈથી લશ્કર-એ-તૈયાબાના 10 બંદૂકધારી અરબી સમુદ્ર પાર કરી હથિયારો સાથે કરાચીથી મુંબઈ પહોંચ્યા અને ચાર દિવસ સુધી શહેરમાં તાંડવ મચાવ્યો, તેનાથી ભારતની સમુદ્રી સુરક્ષામાં ખામીઓ પ્રકાશમાન થઇ. આ હુમલાએ ભારતની આંતરિક સુરક્ષામાં ખાસમીઓ સાથે જ ભારતના આતંકવાદ-વિરોધી મેકેનિઝ્મ અને સ્થાનિક પોલીસની અપર્યાપ્તતાને સાર્વજનિક કરી દીધી.
સિક્યોરિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બદલ્યું
જેવી રીતે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે હમાસના હુમલાએ ઈઝરાયલી સુરક્ષા એજન્સીઓની ખામીઓ ઉજાગર કરી છે, તેવી જ રીતે મુંબઈ હુમલાએ પણ ભારતની કમીઓ જગજાહેર કરી દીધી હતી.
પરંતુ 26/11 મુંબઈ હુમલાની તરત બાદ ભારત સરકાર તરફથી સુરક્ષાના મોર્ચે કેટલાય મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં સમુદ્રી સુરક્ષાને કડક કરવી, ખુફિયા ગ્રિડમાં ખામીઓ ઠીક કરવી, આતંકવાદથી નિપટવા માટે કાનૂની માળખાને મજબૂત કરવું અને આતંકી મામલાની તપાસ માટે વિશેષ એજન્સીઓનું નિર્માણ કરવું સામેલ છે.
સમુદ્રી સુરક્ષામાં સુધારો
26/11 મુંબઈ હુમલા બાદ ભારતીય નૌસેનાને સમુદ્રી સુરક્ષાનો સમગ્ર પ્રભાર આપવામાં આવ્યો, અને ભારતીય તટ રક્ષકને ક્ષેત્રીય જળની જવાબદારીની સાથે જ ભારતના સમુદ્રી તટ પર આવતા સેંકડો નવા સમુદ્રી પોલીસ સ્ટેશનો સાથે સતત કોર્ડિનેશનની જવાબદારી આપવામાં આવી.
સરકારે 20 મીટરથી લાંબા તમામ જહાજો માટે એક ઓટોમેટિક આઈડેંટિફિકેશન સિસ્ટમ પણ રાખવી ફરજીયાત કરી દીધી છે, જે તેની ઓળખ અને અન્ય જાણકારી પ્રસારિત કરે છે.
ઈન્ટેલિજન્સ કોર્ડિનેશનલ
મુંબઈ હુમલા બાદ, ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ના મલ્ટી એજન્સી સેન્ટર (MAC) ને મજબૂત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનું પ્રાથમિક કાર્ય કેન્દ્રીય એજન્સીઓ, સશસ્ત્ર દળો અને રાજ્ય પોલીસ વચ્ચે ગુપ્ત માહિતીના આદાનપ્રદાનનું સંકલન કરવાનું છે. પેટાકંપની MAC જે નિષ્ક્રિય થઈ ગઈ હતી તેને ફરીથી સક્રિય કરવામાં આવી હતી. માહિતીના વાસ્તવિક વિનિમય અને વિશ્લેષણ માટે નિયમિત બેઠકો ફરજિયાત બનાવવામાં આવી હતી.
કાયદામાં બદલાવ
26/11 પછી, આતંકવાદની વ્યાખ્યાને વિસ્તૃત કરવા માટે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) માં સુધારો કરવામાં આવ્યો અને દેશમાં પ્રથમ સાચી ફેડરલ તપાસ એજન્સી બનાવવા માટે સંસદ દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કાયદો પસાર કરવામાં આવ્યો.
પોલીસ ફોર્સનું આધુનિકરણ
મુંબઈ હુમલા દરમિયાન ઘણા પોલીસ અધિકારીઓ અને સૈનિકોએ અકલ્પનીય બહાદુરી દર્શાવી હોવા છતાં, તે પોલીસ દળની નિષ્ફળતા હતી જે હુમલાને રોકી શકી ન હતી. તેથી, કેન્દ્ર સરકારે રાજ્ય પોલીસ દળોના આધુનિકીકરણ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું.
ગૃહ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારોને તેમના પોલીસ સ્ટેશનોને આધુનિક બનાવવા, તેમને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવા, તેમના પોલીસકર્મીઓને આતંકવાદ સહિત આધુનિક પોલીસિંગના પડકારોનો સામનો કરવા તાલીમ આપવા અને તેમને વધુ સારા હથિયારોથી સજ્જ કરવા માટે વધુ ભંડોળ ફાળવવામાં આવ્યું હતું.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
