શું એસ્પિરિન નામની દવા Coronavirusના દર્દીને ઠીક કરી શકે છે? જાણો દાવાની હકિકત
શું એસ્પિરિન નામની દવા Coronavirusના દર્દીને ઠીક કરી શકે છે? જાણો દાવાની હકિકત
નવી દિલ્હીઃ દેશમા કોરોના વાયરસના મામલા પહેલેથી ઘટ્યા જરૂર છે, પરંતુ આ સંખ્યા હજી પણ વધુ છે. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર આ બીમારીના ઈલાજ માટે વિવિધ પ્રકારના ઉપાયો જણાવવામાં આવી રહ્યા ચે. જેમાં કેટલાય ઉપાય તો બિલકુલ ફેક છે. હવે વૉટ્સએપ પર એક મેસેજ ઘણો ફોરવોર્ડ કરવામાં આવી રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના વાયરસ એક બેક્ટેરિયા છે અને એસ્પિરિન નામની દવા તેને ઠીક કરી શકે છે. આ ફોરવર્ડમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કોઈ વાયરસ નથી બલકે બેક્ટેરિયા છે જેનાથી મોત થઈ શકે છે.

વાયરલ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે સંક્રમણથી લોહીની ગાઠ બને ચે અને તેના કારણે દર્દીનું મોત થાય છે. આમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જર્મનીએ કોવિડ 19ને હરાવી દીધું છે. અને આનાથી નિપટવાની રીત એન્ટીબાયોકિસ લેવાનું જ છે. જેમાં સૌથી પહેલા એસ્પિરિન લેવાની હોય છે. વનઈન્ડિયાએ આ મેસેજની તપાસ કરી જેમાં માલૂમ પડ્યું કે આ દાવો એકદમ ફેક છે. સૌથી પહેલી વાત તો એ કે કોવિડ-19 એક વાયરસ છે. આની સાથે જ આ બીમારીનો અત્યાર સુધી કોઈ ઈલાજ નથી મળી શક્યો. કેટલીય કંપનીઓ વિવિધ યુદ્ધ સ્તરે વેક્સીન બનાવવામાં કામે લાગી ગઈ છે. કેટલીક કંપનીઓનું કહેવું છે કે કોરોનાની વેક્સીન 2020ના અંતમાં અથવા તો 2021ની શરૂઆતમાં આવી શકે છે.
જો કે એનેસ્થીસિયા અને એનાલ્જેસિયા જર્નલમાં પ્રકાશિત એક અધ્યયનમાં કહેવામાં આવ્યું કે એસ્પિરિનનો ઓછો ડોઝ લેવાથી સંભવતઃ કોરોના સંક્રમણમાં લાભ મળી શકે છે. અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યું કે, આ દરમ્યાન જેમને એસ્પિરિન આપવામાં આવે છે તેમને આઈસીયૂમાં દાખલ કરવાની સંભાવના 43 ટકા સુધી ઘટી જાય છે, મેકેનિકલ વેંટિલેટર પર જવાની સંભાવના 44 ટકા ઘટી જાય છે અને મોતની સંભાવના 47 ટકા ઘટી જાય છે. જો એ વાતનું ધ્યાન રાખવું કે આ અધ્યયની વિવિધ સીમાઓ પણ છે. માટે આના પર ભરોસો કરી લેવો કારગર સાબિત નહિ થાય. કોઈપણ દવાનો પ્રયોગ ખુદ પર કરવો નહિ, જરૂર જણાય ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

Fact Check
દાવો
કોરોના વાયરસ બેક્ટેરિયા છે અને એસ્પિરિનથી ઠીક થઈ શકાય છે.
નિષ્કર્ષ
કોરોનાવાયરસ એક વાયરસ છે અને તેની હજી સુધી દવા ઉપલબ્ધ નથી.
રેટિંગ
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
