શું એસ્પિરિન નામની દવા Coronavirusના દર્દીને ઠીક કરી શકે છે? જાણો દાવાની હકિકત
શું એસ્પિરિન નામની દવા Coronavirusના દર્દીને ઠીક કરી શકે છે? જાણો દાવાની હકિકત
નવી દિલ્હીઃ દેશમા કોરોના વાયરસના મામલા પહેલેથી ઘટ્યા જરૂર છે, પરંતુ આ સંખ્યા હજી પણ વધુ છે. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર આ બીમારીના ઈલાજ માટે વિવિધ પ્રકારના ઉપાયો જણાવવામાં આવી રહ્યા ચે. જેમાં કેટલાય ઉપાય તો બિલકુલ ફેક છે. હવે વૉટ્સએપ પર એક મેસેજ ઘણો ફોરવોર્ડ કરવામાં આવી રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના વાયરસ એક બેક્ટેરિયા છે અને એસ્પિરિન નામની દવા તેને ઠીક કરી શકે છે. આ ફોરવર્ડમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કોઈ વાયરસ નથી બલકે બેક્ટેરિયા છે જેનાથી મોત થઈ શકે છે.

વાયરલ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે સંક્રમણથી લોહીની ગાઠ બને ચે અને તેના કારણે દર્દીનું મોત થાય છે. આમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જર્મનીએ કોવિડ 19ને હરાવી દીધું છે. અને આનાથી નિપટવાની રીત એન્ટીબાયોકિસ લેવાનું જ છે. જેમાં સૌથી પહેલા એસ્પિરિન લેવાની હોય છે. વનઈન્ડિયાએ આ મેસેજની તપાસ કરી જેમાં માલૂમ પડ્યું કે આ દાવો એકદમ ફેક છે. સૌથી પહેલી વાત તો એ કે કોવિડ-19 એક વાયરસ છે. આની સાથે જ આ બીમારીનો અત્યાર સુધી કોઈ ઈલાજ નથી મળી શક્યો. કેટલીય કંપનીઓ વિવિધ યુદ્ધ સ્તરે વેક્સીન બનાવવામાં કામે લાગી ગઈ છે. કેટલીક કંપનીઓનું કહેવું છે કે કોરોનાની વેક્સીન 2020ના અંતમાં અથવા તો 2021ની શરૂઆતમાં આવી શકે છે.
જો કે એનેસ્થીસિયા અને એનાલ્જેસિયા જર્નલમાં પ્રકાશિત એક અધ્યયનમાં કહેવામાં આવ્યું કે એસ્પિરિનનો ઓછો ડોઝ લેવાથી સંભવતઃ કોરોના સંક્રમણમાં લાભ મળી શકે છે. અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યું કે, આ દરમ્યાન જેમને એસ્પિરિન આપવામાં આવે છે તેમને આઈસીયૂમાં દાખલ કરવાની સંભાવના 43 ટકા સુધી ઘટી જાય છે, મેકેનિકલ વેંટિલેટર પર જવાની સંભાવના 44 ટકા ઘટી જાય છે અને મોતની સંભાવના 47 ટકા ઘટી જાય છે. જો એ વાતનું ધ્યાન રાખવું કે આ અધ્યયની વિવિધ સીમાઓ પણ છે. માટે આના પર ભરોસો કરી લેવો કારગર સાબિત નહિ થાય. કોઈપણ દવાનો પ્રયોગ ખુદ પર કરવો નહિ, જરૂર જણાય ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

Fact Check
દાવો
કોરોના વાયરસ બેક્ટેરિયા છે અને એસ્પિરિનથી ઠીક થઈ શકાય છે.
નિષ્કર્ષ
કોરોનાવાયરસ એક વાયરસ છે અને તેની હજી સુધી દવા ઉપલબ્ધ નથી.
રેટિંગ
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?








Click it and Unblock the Notifications
