કાળા જાદૂ વિશે 5 રોચક વાતો
ભારતમાં ભૂતકાળમાં જાદૂ, ટોણા, ભૂત-પ્રેત વગેરેની વાતો થતી રહે છે. અહીં તંત્ર વિદ્યાને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, અશિક્ષિત વર્ગ મોટાભાગે આ વાતો પર વધુ વિશ્વાસ કરે છે. ઘણા લોકો માને છે કે તેમના જીવન પર કાળા જાદૂના લીધે ખૂબ જ નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. શું ખરેખર આ સત્ય છે કે ફક્ત ખોટી વાતો છે. આજે પણ કાળો જાદૂ એક વણ ઉકેલાયેલો કોયડો છે.
કેટલાક ધર્મોમાં જાદૂ, કાળો જાદૂ અને ટોણા-ટોટકાને માનવામાં આવે છે. કાળો જાદૂ કરનાર તાંત્રિક કહે છે કે જે ઘણા પ્રકારની વિધિઓથી કોઇના ઉપર જાદૂ કરીને તેનો નાશ કરી શકે છે, એવું ઘણા લોકો માને છે અને ઘણીવાર વ્યક્તિગત મદદ અથવા લાભ માટે પણ જાદૂની મદદ લેવામાં આવે છે.
કાળો જાદૂ હિન્દુ ધર્મમાં વધુ માને છે
કાળો જાદૂ અને હિન્દુ ધર્મનો સંબંધ ગત કેટલાય યુગોથી ચાલતો આવે છે. તેને કરનારાઓને તાંત્રિક કે અધોરી બાબા કહેવામાં આવે છે જે રાત દરમિયાન વિશેષ પૂજા કરે છે. હિન્દુ ધર્મમાં આ સૌથી વધુ હોય છે.
ઉર્જા
કાળો જાદૂ શરીરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ શક્તિઓ બહારી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવે છે જે તે વ્યક્તિ પર આંતરિક પ્રભાવ પાડે છે.
તાંત્રિક
તાંત્રિક જે પ્રકારે પૂજા કરે છે, તે આજે પણ રહસ્ય બનેલું છે. વાસ્તવમાં તાંત્રિક ખરાબ આત્માઓને બોલાવે છે અને પછી તેમને સારી આત્માઓ અથવા કોઇ વ્યક્તિઓને પરેશા કરવા માટે કહે છે. જે વ્યક્તિને તે પરેશાન કરવા માંગે છે, તેનું કોઇ કપડું, વાળ અથવા કોઇપણ નિશાની જોઇએ. જો એકવાર ખરાબ આત્મા પરેશાન કરવાનું શરૂ કરી દે છે તો સારો વ્યક્તિ બેહાલ થઇ જાય છે.
કાળા જાદૂનો પ્રભાવ
કાળા જાદૂનો પ્રભાવ ખૂબ જ વિકરાળ હોય છે. તેના પ્રભાવના લીધે વ્યક્તિના સ્વભાવમાં ખૂબ જ વધુ પરિવર્તન આવી જાય છે. તેનું સ્વાસ્થ્ય કારણ વિના સારું રહેતું નથી. ઘણીવાર ઘરોમાં તુલસીના પત્તા સુકાઇ જાય છે જો કે તેમની સારી સંભાળ કરવામાં આવે છે, અથવા પ્રભાવિત વ્યક્તિના નખ આપમેળે કાળા પડવા લાગે છે.
વૈજ્ઞાનિક કારણ
કાળો જાદૂ બિન વૈજ્ઞાનિક ઘટના નથી. વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થઇ ચૂકી છે કે કોઇ બહારના દ્વારા કોઇના માટે વધુ નકારાત્મક વિચારસણી, તે વ્યક્તિ પર એકદમ ખરાબ અસર પાડી શકે છે અને માનસિક સ્વાસ્થને પણ પ્રભાવિત કરી શકે છે.