Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદીની વિકાસની રાજનીતિ સામે કાબૂ ગુમાવતા કોંગ્રેસીઓ

અમદાવાદ, 5 એપ્રિલ: જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસી નેતાઓ પોતાના મન પરથી કાબૂ ગુમાવી રહ્યા છે, અને તેઓ મુખ્ય વિપક્ષી પાર્ટી બીજેપી પર મર્યાદા વટાવીને પ્રહારો કરી રહ્યા છે. અને કોંગ્રેસનું હાલમાં એવું વર્તન સામે આવી રહ્યું છે કે તેઓ આખા રાજનૈતિક મેદાનમાં નરેન્દ્ર મોદીને જ પોતાના પ્રતિસ્પર્ધી ગણે છે.

આજે કોંગ્રેસના નેતા અને સૂચના અને પ્રસારણમંત્રી મનીષ તિવારીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા એવું નિવેદન કરી નાખ્યું કે 'મોદીની ભારતના અન્ય ભાગોમાં પણ એવું કરવાની તો ઇચ્છા નથી ને જે તેમણે ગુજરાતમાં 2002માં કર્યું હતું.' જોકે મનીષ તિવારીએ આ નિવેદન કેટલું સમજી વિચારીને આપ્યું હશે એ તો કોણ જાણે પરંતુ તેમના આ નિવેદનમાં સ્પષ્ટપણે કોંગ્રેસ પાર્ટીનો 'મોદીભય' ઝળકી રહ્યો છે.

narendra modi manish tewari
અહીં એ વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે મનીષ તિવારીએ મીડિયા સામે આ નિવેદન મીડિયામાં આવેલા એ અહેવાલ પર આપ્યું હતું જેમાં કહેવાયું હતું કે 'મોદીએ કોઇ કાર્યક્રમમાં એવું કહ્યું કે મેં ગુજરાતનું ઋણ ચૂકવી દીધું છે હવે દેશનું ઋણ ચૂકવવાનું છે.' જોકે મોદીએ આવું કોઇ નિવેદન આપ્યું જ નથી. ખરેખર ગઇકાલે ગુરુવારે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઓરિસ્સાના ઉઘોગપતિ આર. પી. ગુપ્તા લિખિત અંગ્રેજી પુસ્તક 'ટર્ન એરાઉન્ડ ઇન્ડિયા'ના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન પુસ્તકના લેખક આર.પી. ગુપ્તાએ ગુજરાતનું ઋણ ચૂકવ્યા પછી ભારતનું ઋણ ચૂકવવાનું નેતૃત્વ લેવા નરેન્દ્ર મોદીને અંતકરણથી વિનંતી કરી હતી.

આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ પુસ્તક માટે આર. પી ગુપ્તાને અભિનંદન પાઠવ્યા અને પોતાના પ્રવચનમાં ગુજરાત અને દેશના વિકાસને લગતા ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે દેશના આર્થિક પાસાઓને વિકસાવવા ગુજરાતના ઉદાહરણો પણ બેસાડ્યા. મોદીએ છેલ્લે આર. પી ગુપ્તાએ કહેલા શબ્દોને વાગોળ્યા અને જણાવ્યું કે હમણા ગુપ્તાજીએ કહ્યું કે ''મોદીજીએ ગુજરાતનું ઋણ ચૂકતે કરી દીધું છે હવે તેમને દેશનું ઋણ ચૂકતે કરવાની જરૂર છે. આપણે સૌએ ભારત માતાના ઋણને ચૂકાવવાનો છે માત્ર મોદીને નહીં. માટે આપણે સૌને જ્યારે પણ જ્યાં પણ તક મળે ભારતમાતાના ઋણ ચૂકવવાની તો તેનું ઋણ અદા કરીએ. જેથી આવનાર પેઢીઓ પર કોઇ ઋણ ના રહે.''

મનીષ તિવારીની તર્ક વગરની ટીપ્પણીથી એવું જણાઇ આવે છે કે તેઓની પાસે હવે ચૂંટણી જીતવા માટે કોઇ મુદ્દા નથી બચ્યા માટે તેઓ ભૂતકાળની વાતોને વાગોળ્યા કરે છે. ગાંધીજીની અહિંસા નીતિ પર ચાલતી પાર્ટીના નેતાઓ હવે લોકોમાં ભાજપ દ્વારા રમખાણો ફેલાવાનો ભય ઉભો કરી ભયની રાજનીતિ ખેલી રહી છે. જ્યારે બીજેપી પોતાની વિકાસની રાજનીતિ ખેલી રહી છે. નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિથી કોંગ્રેલ લીડરો પોતાના મન પરથી કાબૂ ગુમાવી બેઠા છે.

મોદી હાલમાં પોતાની વિકાસની રાજનીતિના કારણે દેશમાં જ નહીં પરંતુ તેઓ વિદેશમાં પણ ફેમશ બન્યા છે. મોદી પોતાના ભાષણોથી યુવાઓનોમાં પણ ભારે ચહિતા બન્યા છે. વિદેશી ડેલિગેટ્સનું તેમને મળવા આવવું એ વિપક્ષી પાર્ટીઓને છાજતું નથી. જેના પગલે ભ્રમિત થઇને વિપક્ષી દળના નેતાઓ તેમના અર્થનો પણ અનર્થ કરે છે. આવા નિવેદનોથી કોંગ્રેસની નૈયા ડૂબતી દેખાઇ રહી છે.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X