મોદીની વિકાસની રાજનીતિ સામે કાબૂ ગુમાવતા કોંગ્રેસીઓ
અમદાવાદ, 5 એપ્રિલ: જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસી નેતાઓ પોતાના મન પરથી કાબૂ ગુમાવી રહ્યા છે, અને તેઓ મુખ્ય વિપક્ષી પાર્ટી બીજેપી પર મર્યાદા વટાવીને પ્રહારો કરી રહ્યા છે. અને કોંગ્રેસનું હાલમાં એવું વર્તન સામે આવી રહ્યું છે કે તેઓ આખા રાજનૈતિક મેદાનમાં નરેન્દ્ર મોદીને જ પોતાના પ્રતિસ્પર્ધી ગણે છે.
આજે કોંગ્રેસના નેતા અને સૂચના અને પ્રસારણમંત્રી મનીષ તિવારીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા એવું નિવેદન કરી નાખ્યું કે 'મોદીની ભારતના અન્ય ભાગોમાં પણ એવું કરવાની તો ઇચ્છા નથી ને જે તેમણે ગુજરાતમાં 2002માં કર્યું હતું.' જોકે મનીષ તિવારીએ આ નિવેદન કેટલું સમજી વિચારીને આપ્યું હશે એ તો કોણ જાણે પરંતુ તેમના આ નિવેદનમાં સ્પષ્ટપણે કોંગ્રેસ પાર્ટીનો 'મોદીભય' ઝળકી રહ્યો છે.

આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ પુસ્તક માટે આર. પી ગુપ્તાને અભિનંદન પાઠવ્યા અને પોતાના પ્રવચનમાં ગુજરાત અને દેશના વિકાસને લગતા ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે દેશના આર્થિક પાસાઓને વિકસાવવા ગુજરાતના ઉદાહરણો પણ બેસાડ્યા. મોદીએ છેલ્લે આર. પી ગુપ્તાએ કહેલા શબ્દોને વાગોળ્યા અને જણાવ્યું કે હમણા ગુપ્તાજીએ કહ્યું કે ''મોદીજીએ ગુજરાતનું ઋણ ચૂકતે કરી દીધું છે હવે તેમને દેશનું ઋણ ચૂકતે કરવાની જરૂર છે. આપણે સૌએ ભારત માતાના ઋણને ચૂકાવવાનો છે માત્ર મોદીને નહીં. માટે આપણે સૌને જ્યારે પણ જ્યાં પણ તક મળે ભારતમાતાના ઋણ ચૂકવવાની તો તેનું ઋણ અદા કરીએ. જેથી આવનાર પેઢીઓ પર કોઇ ઋણ ના રહે.''
મનીષ તિવારીની તર્ક વગરની ટીપ્પણીથી એવું જણાઇ આવે છે કે તેઓની પાસે હવે ચૂંટણી જીતવા માટે કોઇ મુદ્દા નથી બચ્યા માટે તેઓ ભૂતકાળની વાતોને વાગોળ્યા કરે છે. ગાંધીજીની અહિંસા નીતિ પર ચાલતી પાર્ટીના નેતાઓ હવે લોકોમાં ભાજપ દ્વારા રમખાણો ફેલાવાનો ભય ઉભો કરી ભયની રાજનીતિ ખેલી રહી છે. જ્યારે બીજેપી પોતાની વિકાસની રાજનીતિ ખેલી રહી છે. નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિથી કોંગ્રેલ લીડરો પોતાના મન પરથી કાબૂ ગુમાવી બેઠા છે.
મોદી હાલમાં પોતાની વિકાસની રાજનીતિના કારણે દેશમાં જ નહીં પરંતુ તેઓ વિદેશમાં પણ ફેમશ બન્યા છે. મોદી પોતાના ભાષણોથી યુવાઓનોમાં પણ ભારે ચહિતા બન્યા છે. વિદેશી ડેલિગેટ્સનું તેમને મળવા આવવું એ વિપક્ષી પાર્ટીઓને છાજતું નથી. જેના પગલે ભ્રમિત થઇને વિપક્ષી દળના નેતાઓ તેમના અર્થનો પણ અનર્થ કરે છે. આવા નિવેદનોથી કોંગ્રેસની નૈયા ડૂબતી દેખાઇ રહી છે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ











Click it and Unblock the Notifications
