દિવાળીમાં ઘરે બેઠા બનાવો રંગબેરંગી દીવા
દિવાળી એ પ્રકાશનો તહેવાર છે. દિવાળી પર દીવા અને મીણબત્તીઓનું ઘણું મહત્વ છે. માની લો દિવાળી પર દીવો પ્રગટાવ્યા સિવાય કોઈ કામ નથી.
દિવાળી એ પ્રકાશનો તહેવાર છે. દિવાળી પર દીવા અને મીણબત્તીઓનું ઘણું મહત્વ છે. માની લો દિવાળી પર દીવો પ્રગટાવ્યા સિવાય કોઈ કામ નથી. ભારતમાં ઉજવાતા તમામ તહેવારોમાં, દિવાળીનું ખુબ મૂલ્ય છે. તેને દીપોત્સવ પણ કહેવામાં આવે છે. 'તમસો માં જ્યોતિર્ગમય' એટલે 'અંધકારથી પ્રકાશ તરફ જાઓ' આ ઉપનિષદ છે.
ગ્રીન પેંટ દીવા
આ દીવા લીલા કલરથી રંગેવાના હોય છે. તમે ઇચ્છો તો બીજા કલરથી તેના પર ડિઝાઇન પણ બનાવી શકો છો.
પ્લેન દીવા
જો તમે તમારા પુજાના રૂમને સાદો રાખવા માંગતા હોવ તો તમે પ્લેન દીવાનો ઉપયોગ કરી શકો છો.
ગણેશ દીવા
આ થોડા ભુરા રંગના દીવા હોય છે. આ દીવા એટલા માટે સુંદર દેખાતા હોય છે કારણ કે તેના પર ખુદ ગણેશજી વિરાજમાન છે.
પંચ દીવા
આ એક અલગ પ્રકારનો દીવો છે. આ દીવામાં તમે પાંચ દીવેલ મુકી શકો છો. આ દીવાનો ઉપયોગ તમે સુશોભનમાં સેન્ટમાં મુકી શકો છો.
રંગોળી સ્પેશ્યલ દીવા
તમે ઘરમાં બનાવેલ રંગોળીમાં આ દીવાનો ઉપયોગ કરી શકો છો.
પોટ દીવા
આ વિવિધ રંગોવાળા પોટ શેપવાળા દીવા છે જેમાં મીણ ભરેલું હોય છે.
સ્વસ્તિક દીવા
હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું ખુબ મહત્વ છે, જો તમને આવા દીવા બજારમાં દેખાય તો લેવાનું ભુલશો નહી.
પેઇંટ દીવા
જો તમારી પાસે કલર હોય તો તેનાથી દીવાનો રંગવાનું ભુલશો નહી. આ પ્રકારના દીવા રંગોળીની સજાવટ માટે ખુબ ઉપયોગી છે.
દિવાળીના ઘણા દિવસો પહેલા કુંભારો દીવો બનાવવાનું શરૂ કરે છે. આજકાલ બજારમાં ઘણા સુંદર અને આશ્ચર્યજનક દીવાઓ દેખાવા લાગ્યા છે કે તેમને લીધા વિના મન રાજી થતું નથી. પણ એટલી મોંઘવારી આવી છે કે આપણે આપણા મનની ઈચ્છાઓ પૂરી કરી શકતા નથી. પરંતુ જો તમે ઇચ્છતા હોવ તો, તમે પોતે જ સિમ્પલ દાવાઓને સ્ટાઇલિસ લુક આપી શકો છો. ચાલો જોઈએ આવા જ કેટલાક ઘરેલું દીવા જે પેઇન્ટ અને કાચથી બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Diwali 2019: 'દિવાળી'નો અર્થ શું છે?