Diwali 2019: ‘દિવાળી'નો અર્થ શું છે?
દિવાળીનો તહેવાર ખુશીઓને તહેવાર છે, આ દિવસે ભગવાન ગણેશ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. શું તમે જાણો છો કે દિવાળીનો અર્થ શું હોય છે.
દિવાળીનો તહેવાર ખુશીઓને તહેવાર છે, આ દિવસે ભગવાન ગણેશ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. શું તમે જાણો છો કે દિવાળીનો અર્થ શું હોય છે, વાસ્તવમાં દિવાળી સંસ્કૃતના બે શબ્દોથી મળીને બનેલો છે અને એ શબ્દો છે 'દીપ' અર્થાત 'દીપક' અને 'આવલી' અર્થાત 'લાઈન' કે 'શ્રૃંખલા' જેનો અર્થ થયો 'દીપકોની શ્રંખલા.'
સ્કંધ પુરાણમાં છે ઉલ્લેખ
દીપકને સ્કંધ પુરાણમાં સૂર્યના ભાગનુ પ્રતિનિધિ કરનાર માનવામાં આવ્યો છે. દેશના અમુક ભાગમાં હિંદુ દિવાળીને યમ અને નચિકેતાની કથા સાથે પણ જોડે છે.
દીપપ્રતિપાદુસ્તવ
7મી શતાબ્દીના સંસ્કૃત નાટક નાગનંદમાં રાજા હર્ષે આને દીપપ્રતિપાદુત્સવઃ કહ્યુ છે જેમાં દીવા પ્રગટાવવામાં આવતા હતા અને નવ નવવધુ અને વરરાજાને ગિફ્ટ આપવામાં આવતા હતા. ફારસી યાત્રી અને ઈતિહાસકાર અલ બરુનીએ 11મી સદીના સંસ્મરણમાં દિવાળીને કારતક મહિનામાં નવા ચંદ્રમાના દિવસે હિંદુઓ દ્વારા મનાવાતો તહેવાર કહ્યો છે.
આ પણ વાંચોઃ Video: પ્રકાશ રાજે રામલીલાની તુલના ચાઈલ્ડ પૉર્ન સાથે કરી ઘેરાયા
‘મોક્ષ દિવસ'
જૈન ધર્મના લોકો આ મહાવીરના મોક્ષ દિવસ તરીકે મનાવે છે તથા સિખ સમાજ આને બંદી છોડ દિવસ તરીકે મનાવે છે. ઘણા લોકો દિવાળીને 14 વર્ષના વનવાસ પબાદ ભગવાન રામ, મા સીતા અને તેમના ભાઈ લક્ષ્મણની વાપસીના સમ્માન તરીકે મનાવે છે. દિવાળીને નેપાળમાં પણ મનાવવામાં આવે છે. નેપાળીઓ માટે આ તહેવાર એટલા માટે મહાન છે કારણકે આ દિવસે નેપાળ સંવતમાં નવુ વર્ષ શરૂ થાય છે.