શું ભારતના રાજ્યોમાં રાજ્યપાલ હોવા જોઇએ?

બીજી તરફ એનડીએના આ પગલાં કોંગ્રેસ ટીકા કરી રહી છે. એનડીએની હાથમાં કમાન આવતાં જ રાજ્યપાલના રાજીનામા આપવાના વિષય પર કોંગ્રેસે ટિપ્પણી કરતાં કહ્યું કે આને એકપક્ષીય અને તાનાશાહી વલણ ગણાવ્યું છે. પરંતુ અહીં કોંગ્રેસ એ ભૂલી રહી છે કે 2004માં યૂપીએ 1ના શાસનકાળ દરમિયાન એનડીએ શાસનના સમયે નિમવામાં આવેલા રાજ્યપાલોને તેમણે એક ઝાટકે હટાવી દિધા હતા. અને તેનું કારણ ફક્ત આરએસએસ પૃષ્ઠભૂમિ હોવાનું હતું.
જો એક દાસકો પાછળ નજર કરીએ તો કોંગ્રેસ નિયુક્ત મોટાભાગના રાજ્યપાલોમાં ખોટની નજર આવવી કોઇ મોટી વાત નથી. દિલ્હીની મુખ્યમંત્રી રહી ચૂકેલી શીલા દિક્ષીતનું નામ જ્યાં કોમનવેલ્થ ગોટાળામાં ઉછળ્યું હતું. બીજી તરફ કાયદા મંત્રી રહી ચૂકેલા એચ આર ભારદ્વાજે પણ બોફોર્સ ગોટાળા કેસને બંધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જે બી પટનાયક પણ અસમના મુખ્યમંત્રી રહ્યાં હતા તે દરમિયાન ભષ્ટ્રાચારના દાગથી બચી શક્યા ન હતા.
જો કે પ્રશ્ન એ ઉદભવી રહ્યો છે કે આ સંવૈધાનિક પદની ગરિમાને ઇજા પહોંચડાનારા આ રાજ્યપાલોની આ દેશને હવે કેટલી ચિંતા છે? જે પદની પ્રતિષ્ઠાની સાથે રમીને ફક્ત પોતાના મુખિયાની આંખ અને કાન બનીને પદ પર બેઠ્યાં છે. સાથે જ ''મોટાભાગની સરકાર, વધુ શાસન''ના આ રાજકિય યુગમાં આજે આ એક મોટો વિષય બનીને સામે આવ્યો છે કે શું આપણે રાજ્યપાલ રાજ્યના મુદ્દે પોતાનું યોગ્ય અને સકારાત્મક યોગદાન આપી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
