ભારત-પાક યુદ્ધ થયું તો બરબાદ થઈ જશે અડધી દુનિયા!
ભારત-પાક યુદ્ધ થયું તો બરબાદ થઈ જશે અડધી દુનિયા!
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે. પરંતુ હાલ એવું પણ નથી કે બંને દેશ ખુદને જંગમાં ડૂબાવી દે. પરંતુ માની લો કે જો બંને દેશ યુદ્ધમાં કૂદી પડે છે અને પછી ક્યાંક પરમાણુ વૉર શરૂ થઈ ગઈ તો શું થશે? તસવીરો બહુ ભયંકર હશે. એક અઠવાડિયામાં જ બે કરોડ 10 લાખ લોકો મૃત્યુ પામશે. અડધાથી વધુ લોકો યુદ્ધનો શિકાર બનશે. જે બચશે તેઓ રેડિએશનથી મરી જશે. દુનિયા પરનું અડધાથી વધુ ઓઝોન પડ બરબાદ થઈ જશે. અડધી દુનિયા માટે શિયાળો અને ઉનાળાની ઋતુ જ ખતમ થઈ જશે. પરમાણુ વોર દુનિયાને દબાહ કરી મૂકશે. વનસ્પતિ અને વૃક્ષોના નિશાન સુદ્ધાં મટી જશે. અડધી દુનિયાના 2 અબજ લોકો માત્ર ભૂષથી જ મરી જશે.

અડધી દુનિયાએ ભોગવવું પડશે નુકસાન
વાત માત્ર હિંદુસ્તાન અને પાકિસ્તાનની નથી. દાવ પર અડધી દુનિયા છે. જી હાં, જો ભૂલથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ થાય છે તો તે યુદ્ધમાં બંને દેશ પોતાના માત્ર અડધા પરમાણુ બોમ્બનું જ બટન દબાવી દે, તો હિંદુસ્તાન અને પાકિસ્તાનમાં તો માત્ર એક જ ઝટકામાં એક કરોડ દશ લાખ લોકો મરી જશે. પરંતુ તેની અસર ન માત્ર બાકી પાડોશી દેશ બલકે અડધી દુનિયાએ ભોગવવી પડશે.

ડરામણી હશે અસર
ભારત અને પાકિસ્તાન પાસે જે પરમાણુ બોમ્બ છે. તેમાંથ દરેક બોમ્બ હિરોશિમા પર ફેંકવામાં આવેલ 15 કિલોટનવાળા બોમ્બની બરાબર છે. આ બોમ્બ જેવા પડશે કે સૌથી પહેલા તેની ગરમી અને રેડિએશન લોકોને મારી નાખશે. જે બાદ પણ જો કોઈ બચ્યું હશે તો તેમના માટે જીવવું એટલું સહેલું નહિ હોય. ભોપાલ ગેસના ત્રીસ વર્ષ બાદ આજે ત્રીજી પેઢી પણ બીમાર પેદા થઈ રહી છે. પછી આ તો પરમાણુ બોમ્બ છે અંદાજો લગાવો તેની અસર કેટલી લાંબી અને ખતરનાક હશે.

બરબાદ થઈ જશે ઓઝોન પળ
બોમ્બના રેડિએશનની અસર માત્ર લોકો અને પશુ-પક્ષીને જ નહિ તડપાવે બલકે તેનું રેડિએશનથી વાયુમંડળમાં ઓઝોન પડ બરબાદ થઈ જશે. હવે વાયુમંડળમાંથી ઓઝોન પળ ગાયબ થઈ જવું કે બરબાદ થઈ જવાનો મતલબ જ એ છે કે હવામાંથી એ ગેસ જ ખતમ થઈ જશે જે મોસમ બદલે છે. એટલે કે અડધી દુનિયામાં શિયાળા અને ઉનાળાના ફિક્સ મોસમનો સિલસિલો જ બંધ થઈ જશે. એવામાં શક્ય છે કે આ ઝંગ બાદ એવી ભયાનક ઠંડ પડે કે દુનિયામાંથી વૃક્ષોનું નામો નિશાન જ મટી જાય. એવામાં માણસોની હાલત કેવી હશે તમે જ વિચારી લો.

2 કરોડથી વધુ લોકો મૃત્યુ પામશે
વૈજ્ઞાનિકોનું માનીએ તો બંને દેશ વચ્ચે પરમાણુ યુદ્ધ શરૂ થઈ જાય તો 2 કરોડ 10 લાખ લોકો પહેલા અઠવાડિયામાં જ મૃત્યુ પામસે. મૃત્યુ પામના આ લોકોનો આંકડો બીજા વિશ્વ યુદ્ધમાં મૃત્યુ પામનાર લોકોની વસતીથી અડધો હશે. એટલું જ નહિ, મોતનો આ આંકડો હિંદુસ્તાનમાં પાછલા 9 વર્ષમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર સામાન્ય લોકો, પોલીસ, જવાન અને સુરક્ષા બળોની કુલ તાદાતથી 2 હજાર 221 ગણો વધુ હશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
