Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારત-પાક યુદ્ધ થયું તો બરબાદ થઈ જશે અડધી દુનિયા!

ભારત-પાક યુદ્ધ થયું તો બરબાદ થઈ જશે અડધી દુનિયા!

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે. પરંતુ હાલ એવું પણ નથી કે બંને દેશ ખુદને જંગમાં ડૂબાવી દે. પરંતુ માની લો કે જો બંને દેશ યુદ્ધમાં કૂદી પડે છે અને પછી ક્યાંક પરમાણુ વૉર શરૂ થઈ ગઈ તો શું થશે? તસવીરો બહુ ભયંકર હશે. એક અઠવાડિયામાં જ બે કરોડ 10 લાખ લોકો મૃત્યુ પામશે. અડધાથી વધુ લોકો યુદ્ધનો શિકાર બનશે. જે બચશે તેઓ રેડિએશનથી મરી જશે. દુનિયા પરનું અડધાથી વધુ ઓઝોન પડ બરબાદ થઈ જશે. અડધી દુનિયા માટે શિયાળો અને ઉનાળાની ઋતુ જ ખતમ થઈ જશે. પરમાણુ વોર દુનિયાને દબાહ કરી મૂકશે. વનસ્પતિ અને વૃક્ષોના નિશાન સુદ્ધાં મટી જશે. અડધી દુનિયાના 2 અબજ લોકો માત્ર ભૂષથી જ મરી જશે.

અડધી દુનિયાએ ભોગવવું પડશે નુકસાન

અડધી દુનિયાએ ભોગવવું પડશે નુકસાન

વાત માત્ર હિંદુસ્તાન અને પાકિસ્તાનની નથી. દાવ પર અડધી દુનિયા છે. જી હાં, જો ભૂલથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ થાય છે તો તે યુદ્ધમાં બંને દેશ પોતાના માત્ર અડધા પરમાણુ બોમ્બનું જ બટન દબાવી દે, તો હિંદુસ્તાન અને પાકિસ્તાનમાં તો માત્ર એક જ ઝટકામાં એક કરોડ દશ લાખ લોકો મરી જશે. પરંતુ તેની અસર ન માત્ર બાકી પાડોશી દેશ બલકે અડધી દુનિયાએ ભોગવવી પડશે.

ડરામણી હશે અસર

ડરામણી હશે અસર

ભારત અને પાકિસ્તાન પાસે જે પરમાણુ બોમ્બ છે. તેમાંથ દરેક બોમ્બ હિરોશિમા પર ફેંકવામાં આવેલ 15 કિલોટનવાળા બોમ્બની બરાબર છે. આ બોમ્બ જેવા પડશે કે સૌથી પહેલા તેની ગરમી અને રેડિએશન લોકોને મારી નાખશે. જે બાદ પણ જો કોઈ બચ્યું હશે તો તેમના માટે જીવવું એટલું સહેલું નહિ હોય. ભોપાલ ગેસના ત્રીસ વર્ષ બાદ આજે ત્રીજી પેઢી પણ બીમાર પેદા થઈ રહી છે. પછી આ તો પરમાણુ બોમ્બ છે અંદાજો લગાવો તેની અસર કેટલી લાંબી અને ખતરનાક હશે.

બરબાદ થઈ જશે ઓઝોન પળ

બરબાદ થઈ જશે ઓઝોન પળ

બોમ્બના રેડિએશનની અસર માત્ર લોકો અને પશુ-પક્ષીને જ નહિ તડપાવે બલકે તેનું રેડિએશનથી વાયુમંડળમાં ઓઝોન પડ બરબાદ થઈ જશે. હવે વાયુમંડળમાંથી ઓઝોન પળ ગાયબ થઈ જવું કે બરબાદ થઈ જવાનો મતલબ જ એ છે કે હવામાંથી એ ગેસ જ ખતમ થઈ જશે જે મોસમ બદલે છે. એટલે કે અડધી દુનિયામાં શિયાળા અને ઉનાળાના ફિક્સ મોસમનો સિલસિલો જ બંધ થઈ જશે. એવામાં શક્ય છે કે આ ઝંગ બાદ એવી ભયાનક ઠંડ પડે કે દુનિયામાંથી વૃક્ષોનું નામો નિશાન જ મટી જાય. એવામાં માણસોની હાલત કેવી હશે તમે જ વિચારી લો.

2 કરોડથી વધુ લોકો મૃત્યુ પામશે

2 કરોડથી વધુ લોકો મૃત્યુ પામશે

વૈજ્ઞાનિકોનું માનીએ તો બંને દેશ વચ્ચે પરમાણુ યુદ્ધ શરૂ થઈ જાય તો 2 કરોડ 10 લાખ લોકો પહેલા અઠવાડિયામાં જ મૃત્યુ પામસે. મૃત્યુ પામના આ લોકોનો આંકડો બીજા વિશ્વ યુદ્ધમાં મૃત્યુ પામનાર લોકોની વસતીથી અડધો હશે. એટલું જ નહિ, મોતનો આ આંકડો હિંદુસ્તાનમાં પાછલા 9 વર્ષમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર સામાન્ય લોકો, પોલીસ, જવાન અને સુરક્ષા બળોની કુલ તાદાતથી 2 હજાર 221 ગણો વધુ હશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X