આત્મહત્યા કરનાર કોઈ વ્યક્તિનું નામ લખીને મરે તો આરોપીને કેટલી સજા થાય? જાણો શું કહે છે કાયદા?
બેંગલુરૂના એન્જીનિયરની આત્મહત્યાએ પુરા ભારતને વિચારતો કરી મુક્યો છે. મહિલાઓના શોષણની વાતો વચ્ચે પુરૂષો પર અત્યાચાર તરફ તમામ લોકોનું ધ્યાન ગયુ છે.
અતુષ સુભાષ નામના આ વ્યક્તિએ તેની પત્ની અને પત્નીના પરિવારના લોકોના ત્રાસથી આત્મહત્યા કરી હતી. હવે લોકો આ આરોપીઓ સામે પગલા ભરવાની માંગ કરી રહ્યાં છે.

અતુલ સુભાષે આત્મહત્યા કરતા પહેલા એક દોઢ કલાકનો વીડિયો અને 24 પેજની સુસાઈડ નોટ લધીને મોતને વ્હાલુ કર્યુ હતુ. જણાવી દઈએ કે, ભારતીય કાયદાઓમાં કોઈ વ્યક્તિને આત્મહત્યા માટે ઉશ્કેરવો એ ગુનો ગણાય છે અને તેને જેલની હવા ખાવી પડી શકે છે.
અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) અને 3(5) હેઠળ કેસ નોંધ્યો છે. જો મૃતક સુસાઈડ નોટમાં કોઈનું નામ લખે તો તેની સામે આ કલમ હેઠળ કેસ નોંધવામાં આવે છે.
આ કલમો હેઠળ કેસ નોંધવામાં આવે અને તે વ્યક્તિ સામેના આરોપો સાબિત થાય તો 10 વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે. આવા કિસ્સામાં પોલીસ વોરંટ વગર કોઈપણની ધરપકડ કરી શકે છે. આ કેસમાં થયેલી ધરપકડ બિનજામીનપાત્ર છે.
સુસાઈડ નોટમાં કોઈનું નામ લખીને કોઈ આત્મહત્યા કરે એટલો આધાર સજા માટે પુરતો નથી. આ માટે સમગ્ર પ્રક્રિયા મુજબ પ્રથમ કાર્યવાહી કરાય છે. જેમાં સુસાઇડ નોટની સત્યતા ચકાસવામાં આવે છે.
આના માટે હેન્ડરાઇટિંગ વિશ્લેષણ અને પેપરની તપાસ કરવામાં આવે છે અને સુસાઇડ નોટની શાહીની પણ તપાસ કરાય છે. આ સિવાય સ્યુસાઈડ નોટમાં કરાયેલા આક્ષેપોની તથ્ય તપાસ કરવામાં આવે છે.
સુસાઈડ નોટની સત્યતા અને તેમાં કરાયેલા આક્ષેપોની તથ્યપૂર્ણ તપાસ બાદ આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવે છે. ત્યારબાદ વધુ પુરાવા એકત્ર કરવામાં આવે છે અને કોર્ટમાં કેસ ચાલે છે. જેના પર કોર્ટ અંતિમ નિર્ણય આપે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
