ભારતની પહેલી સોલર ટ્રેન, જાણો કઈ કઈ છે ખાસિયત...
ભારતની પહેલી સોલર ટ્રેનનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આપણે ઘણી મોટી મોટી બિલ્ડીંગો પર સોલર પેનલ તો જોઈ જ હશે પરંતુ હવે ભારતમાં સોલર ટ્રેન પણ ચાલુ થવા જઈ રહી છે. આ સોલર ટ્રેન ચાલુ થવાથી લગભગ 90 હજાર લિટર ડીઝલની બચત થઇ શકે છે.
પેટ્રોલ અને ડીઝલની વર્તાતી તંગીમાં આ પ્રકારનું પગલું ઘણું જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સોલર ટ્રેનની ખાસિયતો વિશે જાણવા માટે નીચે જુઓ...

300 વોલ્ટ વિજળી પેદા થશે
આ ટ્રેનની ખાસિયત એ છે કે તેના ધ્વારા 300 વોલ્ટ વિજળી પેદા થશે. આ ટ્રેનના પંખા અને લાઈટ પણ સોલર પેનલથી તૈયાર કરવામાં આવશે.

ટ્રેનના ટ્રાયલને હજુ સુધી મંજુરી નથી મળી
આ ટ્રેનના ટ્રાયલને હજુ સુધી મંજુરી નથી મળી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ખુબ જ જલ્દી મંજુરી મળી જશે.

જોધપુર
આ ટ્રેન ને બનાવ્યું છે રેલ્વેની જોધપુર વર્ક્શોપે. અહી દેશની પહેલી ફૂલ સોલર ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે.

સોલર પેનલને નુકસાન
આ ટ્રેનનું હજુ સુધી ટ્રાયલ નથી થઇ રહ્યું કારણકે રેલ્વેને ચિંતા છે કે લોકો ટ્રેન પર ચડીને સોલર પેનલને નુકસાન કરી શકે છે.

ટ્રેનની ઉપર ચડી જાય છે.
આ વાત તો બધાને જ ખબર છે કે ભારતમાં લોકોને ટ્રેનમાં જગ્યા ના મળે તો તેઓ ટ્રેનની ઉપર ચડી જાય છે.

સોલર પેનલને નુકસાન
સોલર ટ્રેનમાં જો લોકો ટ્રેન પર ચડી જાય તો તેનાથી સોલર પેનલને નુકસાન થાય છે અને લોકોને તકલીફ સામનો પણ કરવો પડી શકે છે.

12 સોલર પેનલ
ટ્રેનના એક કોચમાં 12 સોલર પેનલ લગાવવામાં આવી છે.

90 હજાર લિટર ડીઝલની બચત
ખાસ વાત એ છે કે એક ટ્રેનમાં જો 20 કોચ લગાવવામાં આવે તો એક વર્ષમાં લગભગ 90 હજાર લિટર ડીઝલની બચત થઇ શકે છે.

રાત્રે પણ ચલાવી શકાશે
શરૂઆતમાં આ ટ્રેનને દિવસમાં જ ચલાવવામાં આવશે પછી તેની એનર્જી સ્ટોર કરીને રાત્રે પણ ચલાવી શકાશે.

22 ટ્રેન
જયપુરમાં આ પ્રકારની કુલ 22 ટ્રેન તૈયાર થવાની છે.












Click it and Unblock the Notifications
