1947માં સરગુજા મહારાજે કર્યો હતો ચિત્તાનો શિકાર, જાણો રસપ્રદ વાતો
1947માં સરગુજા મહારાજે કર્યો હતો ચિત્તાનો શિકાર, જાણો રસપ્રદ વાતો
ઝૂઓલોજિકલ સોસાયટી ઓફ લંડન અને પૈંથરા તેમજ વન્યપ્રાણી સંરક્ષણ સોસાયટીના અહેવાલો મુજબ લગભગ 70 ટકા જેટલી ચિત્તાની વસ્તિ આ વિશ્વમાંથી લુપ્ત થઇ છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ભારતમાં આફ્રિકન ચિત્તાઓને લાવવાની મંજૂરી તો આપી દીધી છે પરંતુ સવાલ એ છે કે તેની જરૂરત કેમ પડી? છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વમાં જાણીતા સ્ફૂર્તિલા અને રફ્તારની ગતિ ધરાવતા ચિતાની પ્રજાતી લુપ્ત થઇ ગઇ છે.
ઝૂઓલોજિકલ સોસાયટી ઓફ લંડન, પૈંથરા અને વન્યપ્રાણી સંરક્ષણ સોસાયટીના અહેવાલો રિપોર્ટ મુજબ તેમની વસ્તીનો લગભગ 91 ટકા હિસ્સો ખોવાઈ ગયો છે. પહેલા તો માનવોએ તેમનો ખુબજ શિકાર કર્યો તેમજ તેમના રહેઠાણોને કબજે કર્યા તેથી તેમની ચીખો ખોરાક અને પાણીના અભાવ વચ્ચે પરિસ્થિતિઓ ગંભીર બનતી ગઇ. જો આ પ્રાણીઓની સંભાળ લેવામાં નહી આવે તો ભવિષ્યમાં આ સુંદર જીવો ફ્કત તસવીરોમાં જ જોવા મળશે.
હાલમાં ફક્ત 7100 ચીત્તા રહ્યા છે
ઝૂઓલોજિકલ સોસાયટી ઓફ લંડન, પૈંથરા અને વન્યપ્રાણી સંરક્ષણ સોસાયટીના સંયુક્ત અહેવાલ મુજબ વિશ્વભરમાં ફક્ત 7100 ચિત્તા છે. આ પ્રજાતિની 91 ટકા પ્રજાતિ ખત્મ થઈ ગઈ છે.
અંહી છે તેમની સંખ્યા
આડેધડ કરવામાં આવતો શિકાર અને ટ્રાફિક અને ગ્લોબલવોર્મીંગની સૌથી વધારે અસર એસિયાઇ ચિતાઓમાં થઇ છે. એસિયામાં ફક્ત ઇરાન છે જેમાં 50 ચિત્તા છે. તે સિવાય આફ્રિકાના મહાદ્વિપમાં પણ ચીત્તા જોવા મળ્યા છે. 20મી સદીમાં ચીત્તા અફઘાનિસ્તાન, ઇઝરાયલ જેવા દેશોમાં પણ હોવીની માહિતી છે.
જર્શી પર ચિત્ર
2014 ફૂટબોલ વર્લ્ડ કપ અને એશિયન ગેમ્સમાં ઇરાનની જર્સી પર એક ચિત્ર મુકવામાં આવ્યું હતું ત્યારે લોકો જાણી શક્યા કે દીપડાની પ્રજાતી ખતરામાં છે.
ક્લોન તૈયાર કરવાની યોજના:
2000ની શરૂઆતમાં હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજીના વૈજ્ઞાનિકોએ ઈરાનથી એશિયાઇ ચિત્તાનું ક્લોન તૈયાર કરવાની યોજના બનાવી. ભારતે ઈરાનને જીવંત ચિત્તાની જોડી મોકલવા વિનંતી કરી. ભારતીય વૈજ્ઞાનિકોએ કહ્યું કે જો આ શક્ય ન હોય તો તેઓને ચિત્તાના કેટલાક જીવંત કોષો લેવાની છૂટ આપવામા આવે પરંતુ ઈરાને આ બંને શરતોનો ઇનકાર કર્યો હતો.
રહેઠાણથી દૂર પ્રજનન
આ પ્રજાતિની સંખ્યામાં વધારો કરવા માટે તહેરાના વિશાળ મેદાનમાં તેમના પ્રકૃતિક રહેઠાણ વચ્ચે ઉછેર કરવામાં આવી રહ્યો છે.
ચિંતાજનક સ્થિતિ
છેલ્લા 16 વર્ષોમાં ઝિમ્બાબ્વેમાં તેમની વસ્તી 1200 થી ઘટીને 170 થઈ ગઈ છે. સુરક્ષાના અભાવે આ જીવો ક્યારેક રહેણાંક વિસ્તારોમાં ઘુસી જાય છે ત્યારે લોકો ભયના કારણે તેમને મારી નાખતા હોય છે. 77 ટકા ચિતાઓની સંખ્યા અસુરક્ષીત વિસ્તારોમાં અસ્તિત્વ ધરાવે છે જેથી શિકારીઓ અને તસ્કરોની નજરમાં આવી જાય છે.
ભારતમાંથી પણ લુપ્ત છે ચિત્તા
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ ચિત્તા છેલ્લે 1947 માં ભારતમા જોવા મળ્યા હતા. ત્યારે સરગુજા મહારાજે દેશના એક શિકારમાં બાકીના ત્રણ ચિત્તાઓની હત્યા કરી હતી.
શાનના કારણે પ્રજાતિનું અસ્તિત્વ ખત્મ
મુઘલ કાળમાં ભારતમાં આશરે એક હજાર દીપડાઓ હતા. અંગ્રેજોના આગમન પછી તેનો આડેધડ શિકાર કરવામાં આવ્યો. દેશ આઝાદ થયો ત્યાં સુધીમાં ભારતમાં તેમની વસ્તી લગભગ સંપૂર્ણ ખત્મ થઈ ગઈ હતી. જોકે 2000થી સરકાર તેમને પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે.
દીપડાની ચર્ચા 2001માં શરૂ થઈ હતી.
ભારતમાંથી સંપૂર્ણ લુપ્ત થઈ ગયેલી દિપડાને લાવવાની ચર્ચા 2001 માં શરૂ થઈ હતી, પરંતુ તેનો અમલ જામા 2009 માં કરવામાં આવ્યો હતો.
લુપ્ત થવાનાકારણો
ચિત્તાને બચાવવા સંરક્ષણ કારક્રમની શરૂઆત કરવામાં આવી તેમજ ભૂખના કારણે ચિત્તાઓની સંખ્યામાં અછત ઉભી થઇ. તેથી પાર્કમાં હરણ, ચિંકારા અને સસલા જેવા જિવોને પાળવા જરૂરી બન્યું.
લોકોનો સામનો
ચિત્તો હંમેશા ખોરાકની શોધમાં રહેણાક વિસ્તારમાં ઘૂસી જતા હોય છે જ્યાં ખેડૂત અને કૂતરાઓ મારી નાખતા હોય છે. જોકે કૂતરાઓનું એક ટોળુ સરળતાથી તેને ઘેરી લે છે.
માર્ગ અકસ્માત:
ઇરાનમાં છેલ્લા 16વર્ષમાં 20 જેટલા ચિત્તા માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે
કેટલાક યુદ્ધો પણ જવાબદાર
1980 થી 1988 સુધી ચાલેલા ઈરાન-ઇરાક યુદ્ધ દરમિયાન દેશની પશ્ચિમ સરહદે મોટી સંખ્યામાં વન્યપ્રાણીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમાંથી એશિયન ચિત્તા પણ શિકાર બન્યા. આજે કોઈ યુદ્ધની સ્થિતિ નથી તેમ છતા મુશ્કેલીઓ વધી છે
અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા આવકવેરામાં ઘટાડો અને ખર્ચમાં વધારો કરી શકે સરકાર