Kargil Vijay Diwas : કેવી રીતે પડ્યુ કારગિલનુ નામ? જાણો સેનાની બહાદુરીની સાક્ષી આ ધરતીનો ઇતિહાસ
Kargil Vijay Diwas : પાકિસ્તાનની નાકાપ ચાલને નાકામ કરીને 26 જૂલાઈ 1999ના દિવસે ભારતીય સેનાએ કારગિલ યુદ્ધ જીત્યું હતું. આ યુદ્ધમાં ભારતીય સેનાના બલિદાનને સદીઓ સુધી યાદ કરવામાં આવશે.
કારગિલ યુદ્ધમાં લડેલા સૈનિકોના સન્માનમાં દર વર્ષે 26મી જુલાઈએ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે. કારગિલને વીરોની ભૂમિ પણ કહેવામાં આવે છે.

શું તમે જાણો છો કે વીરોની ભૂમિ કારગિલ શહેરનું નામ કેવી રીતે પડ્યું અને તેનો અર્થ શું છે. આજે અમે તમને જણાવીશું કે કારગિલ શહેરનું નામ કારગિલ કેવી રીતે પડ્યું?
જણાવી દઈએ કે આ દિવસે આપણે ભારતીય સૈનિકોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરીએ છીએ, જેમણે પાકિસ્તાની ઘૂસણખોરોથી કારગિલની પહાડીઓને પરત મેળવવા માટે અથાક લડત આપી હતી.
કારગિલ શહેર
કારગિલ શહેરનો કુલ વિસ્તાર 14,086 ચોરસ કિલોમીટર છે. તે શ્રીનગરથી લેહ તરફ 205 કિલોમીટરના અંતરે આવેલું છે. કારગિલ આજે સમગ્ર વિશ્વમાં આગાની ભૂમિ તરીકે ઓળખાય છે. તેની પાછળનું કારણ એ છે કે કારગીલમાં મોટી વસ્તી શિયા મુસ્લિમોની છે અને આગા લોકો ધાર્મિક વડા અને ઉપદેશકો છે.
કારગિલનું નામ
કારગિલ નામ બે શબ્દો ખાર અને આરકિલથી બનેલું છે. ખાર એટલે મહેલ અને આરકિલ એટલે કેન્દ્ર. આમ આ મહેલોનું કેન્દ્ર છે. જણાવી દઈએ કે આ વિસ્તાર ઘણા રાજવંશોના વિસ્તારો વચ્ચે રહ્યો છે.
ઘણા વિવેચકો કહે છે કે કારગિલ શબ્દ ગાર અને ખિલ શબ્દ પરથી આવ્યો છે. સ્થાનિક ભાષામાં ગારનો અર્થ થાય છે કોઈપણ સ્થળ અને ખિલનો અર્થ થાય છે મધ્યસ્થ સ્થાન.
આ વાત એ હકીકતથી પણ સાબિત થાય છે કે કારગિલ શ્રીનગર, સ્કાર્દો, લેહ અને પદુમથી લગભગ 200 કિલોમીટરના અંતરે આવેલું છે. સમયની સાથે ખાર આરકિલ અથવા ગાર ખિલ કારગીલ તરીકે ઓળખાવા લાગ્યા.
ઇતિહાસ શું કહે છે
ઈતિહાસકાર પરવેઝ દિવાને પોતાના પુસ્તક કારગિલ બ્લન્ડરમાં કારગિલના નામ વિશે વાત કરી છે. કારગિલ નામના વ્યક્તિએ આ વિસ્તારમાં વસવાટ કરવા માટે પોયેને અને શિલિકચાય વિસ્તારના જંગલો સાફ કર્યા હતા. બાદમાં તેમના નામ પરથી આ વિસ્તારનું નામ કારગિલ રાખવામાં આવ્યું અને પછી ગશો થા ખાન અહીં આવ્યા.
જણાવી દઈએ કે ગશો થા ખાન પ્રથમ પ્રખ્યાત યોદ્ધા હતા જેમણે કારગીલમાં રાજવંશની સ્થાપના કરી હતી. ગશો થા ખાન ગિલગિટના રાજવી પરિવારના વંશજ હતા, જેમણે 8મી સદીની શરૂઆતમાં કારગીલ પર કબજો કર્યો હતો. તેમના વંશે શરૂઆતના સમયગાળામાં કારગીલના સોડ પ્રદેશ પર શાસન કર્યું અને બાદમાં તેઓ કાયમ માટે શકર ચિક્તન પ્રદેશમાં સ્થાયી થયા હતા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
