Kargil Vijay Diwas : કેવી રીતે પડ્યુ કારગિલનુ નામ? જાણો સેનાની બહાદુરીની સાક્ષી આ ધરતીનો ઇતિહાસ
Kargil Vijay Diwas : પાકિસ્તાનની નાકાપ ચાલને નાકામ કરીને 26 જૂલાઈ 1999ના દિવસે ભારતીય સેનાએ કારગિલ યુદ્ધ જીત્યું હતું. આ યુદ્ધમાં ભારતીય સેનાના બલિદાનને સદીઓ સુધી યાદ કરવામાં આવશે.
કારગિલ યુદ્ધમાં લડેલા સૈનિકોના સન્માનમાં દર વર્ષે 26મી જુલાઈએ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે. કારગિલને વીરોની ભૂમિ પણ કહેવામાં આવે છે.

શું તમે જાણો છો કે વીરોની ભૂમિ કારગિલ શહેરનું નામ કેવી રીતે પડ્યું અને તેનો અર્થ શું છે. આજે અમે તમને જણાવીશું કે કારગિલ શહેરનું નામ કારગિલ કેવી રીતે પડ્યું?
જણાવી દઈએ કે આ દિવસે આપણે ભારતીય સૈનિકોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરીએ છીએ, જેમણે પાકિસ્તાની ઘૂસણખોરોથી કારગિલની પહાડીઓને પરત મેળવવા માટે અથાક લડત આપી હતી.
કારગિલ શહેર
કારગિલ શહેરનો કુલ વિસ્તાર 14,086 ચોરસ કિલોમીટર છે. તે શ્રીનગરથી લેહ તરફ 205 કિલોમીટરના અંતરે આવેલું છે. કારગિલ આજે સમગ્ર વિશ્વમાં આગાની ભૂમિ તરીકે ઓળખાય છે. તેની પાછળનું કારણ એ છે કે કારગીલમાં મોટી વસ્તી શિયા મુસ્લિમોની છે અને આગા લોકો ધાર્મિક વડા અને ઉપદેશકો છે.
કારગિલનું નામ
કારગિલ નામ બે શબ્દો ખાર અને આરકિલથી બનેલું છે. ખાર એટલે મહેલ અને આરકિલ એટલે કેન્દ્ર. આમ આ મહેલોનું કેન્દ્ર છે. જણાવી દઈએ કે આ વિસ્તાર ઘણા રાજવંશોના વિસ્તારો વચ્ચે રહ્યો છે.
ઘણા વિવેચકો કહે છે કે કારગિલ શબ્દ ગાર અને ખિલ શબ્દ પરથી આવ્યો છે. સ્થાનિક ભાષામાં ગારનો અર્થ થાય છે કોઈપણ સ્થળ અને ખિલનો અર્થ થાય છે મધ્યસ્થ સ્થાન.
આ વાત એ હકીકતથી પણ સાબિત થાય છે કે કારગિલ શ્રીનગર, સ્કાર્દો, લેહ અને પદુમથી લગભગ 200 કિલોમીટરના અંતરે આવેલું છે. સમયની સાથે ખાર આરકિલ અથવા ગાર ખિલ કારગીલ તરીકે ઓળખાવા લાગ્યા.
ઇતિહાસ શું કહે છે
ઈતિહાસકાર પરવેઝ દિવાને પોતાના પુસ્તક કારગિલ બ્લન્ડરમાં કારગિલના નામ વિશે વાત કરી છે. કારગિલ નામના વ્યક્તિએ આ વિસ્તારમાં વસવાટ કરવા માટે પોયેને અને શિલિકચાય વિસ્તારના જંગલો સાફ કર્યા હતા. બાદમાં તેમના નામ પરથી આ વિસ્તારનું નામ કારગિલ રાખવામાં આવ્યું અને પછી ગશો થા ખાન અહીં આવ્યા.
જણાવી દઈએ કે ગશો થા ખાન પ્રથમ પ્રખ્યાત યોદ્ધા હતા જેમણે કારગીલમાં રાજવંશની સ્થાપના કરી હતી. ગશો થા ખાન ગિલગિટના રાજવી પરિવારના વંશજ હતા, જેમણે 8મી સદીની શરૂઆતમાં કારગીલ પર કબજો કર્યો હતો. તેમના વંશે શરૂઆતના સમયગાળામાં કારગીલના સોડ પ્રદેશ પર શાસન કર્યું અને બાદમાં તેઓ કાયમ માટે શકર ચિક્તન પ્રદેશમાં સ્થાયી થયા હતા.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
