ચાળણીથી જોઈને જ કેમ તોડવામાં આવે છે કડવા ચોથનુ વ્રત
આખરે કડવા ચોથના વ્રતમાં ચાળણીથી જ ચાંદ કેમ જોવામાં આવે છે? આવો, આ પરંપરા વિશે જાણવાની કોશિશ કરીએ.
નવી દિલ્લીઃ દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીઓ કડવા ચોથનુ વ્રત કરવામાં આવે છે. પરિણીત મહિલાઓ આખુ વર્ષ આ વ્રતની રાહ જુએ છે. આ સૌથી કઠોર વ્રતમાંનુ એક માનવામાં આવે છે. આખો દિવસ પૂરી શ્રદ્ધાથી પોતાના પતિની લાંબી ઉંમર અને જીવનમાં પ્રગતિ માટે પ્રાર્થના કરે છે. આ દિવસે મહિલાઓ નિર્જળા વ્રત કરે છે અને ચાંદ જોયા બાદ જ કંઈક ગ્રહણ કરે છે. શું તમે ક્યારેય એ વાત પર વિચાર કર્યો છે કે કડવા ચોથના વ્રતમાં મહિલાઓ ચાળણીથી ચાંદને જુએ છે અને પછી પતિનો ચહેરો જોઈને તેમના હાથે જળ ગ્રહણ કરીને પોતાનુ વ્રત પૂરુ કરે છે. આખરે કડવા ચોથના વ્રતમાં ચાળણીથી જ ચાંદ કેમ જોવામાં આવે છે? આવો, આ પરંપરા વિશે જાણવાની કોશિશ કરીએ.

ચાળણીથી જ કેમ જોવામાં આવે છે ચાંદ
આ પરંપરા આ વ્રતની કથા સાથે જોડાયેલી છે. આ કથામાં એક બહેનની કહાની જણાવવામાં આવી છે જેણે ભાઈઓએ સ્નેહવશ તેને ભોજન કરાવવા માટે છળથી ચાંદ બતાવ્યો. આના માટે તેમણે ચાળણીની ઓટમાં દીવો પ્રગટાવ્યો જે આકાશમાં ચાંદની છબી જેવો દેખાયો. આનાથી તેનુ વ્રત ભંગ થઈ ગયુ. આ ભૂલને સુધારવા માટે તેની બહેન આખુ વર્ષ ચતુર્થીનુ વ્રત કર્યુ અને જ્યારે ફરીથી કડવા ચોથનો સમય આવ્યો ત્યારે તેણે પૂરા વિધિ વિધાનથી આનુ વ્રત રાખ્યુ. આ રીતે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ. આ વખતે કન્યાએ હાથમાં ચાળણી લઈને ચંદ્રના દર્શન કર્યા હતા.

ચાળણીથી ચાંદને જોવાનુ રહસ્ય
છળથી બચવા માટે ચાળણીનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં ચાળણી દ્વારા ખૂબ બારીકાઈથી ચાંદને જોવામાં આવે છે અને ત્યારે જ વ્રત ખોલવામાં આવે છે. કડવા ચોથના વ્રતમાં આ કથા સાંભળવી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન એક ચોકી પર જળથી ભરેલો કળશ, કરવામાં ઘઉં અને તેના ઢાંકણામાં ખાંડ અને રુપિયા વગેરે રાખવામાં આવે છે.

કડવા ચોથની પૂજા
આ પૂજામાં ચોખા, ગોળ, રોલી વગેરે સામાન રાખી લો. કળશ અને કરવા પર સ્વસ્તિકનુ ચિહ્ન બનાવો. ત્યારબાદ બંને પર 13 ચાંદલા કરો. હવે હાથમાં ઘઉંના તેર દાણા લઈને કથા સાંભળો. કથા સાંભળ્યા બાદ પોતાની સાસુના આશીર્વાદ લો અને તેમને ભેટ આપો. જ્યારે ચંદ્રોદય થઈ જાય ત્યારે એ જ લોટાના જળ અને ઘઉંના તેર દાણા લઈને અર્ધ્ય આપો. પછી રોલી, ચોખા અને ગોળ ચડાવો. બધી રસમો પૂરી કર્યા બાદ મહિલાઓ ભોજન ગ્રહણ કરી શકે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
