જાણો ક્યાં આવેલુ છે દુનિયાનું એકમાત્ર ઘીમાંથી બનેલુ મંદિર? જાણો ખાસિયત
ભારતમાં હજારો પ્રકારના મંદિરો આવેલા છે. વિવિધ જગ્યાઓએ પર આવેલા મંદિરો તેમની પ્રાચીન બનાવટ અને ખાસિયતો માટે જગ વિખ્યાત છે.
આજે આપણે આવા જ એક મંદિર વિશે વાત કરવાના છીએ. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પાણી નહીં પણ ઘીથી કરવામાં આવ્યુ છે.

આપણે જે મંદિર વિશે વાત કરી રહ્યાં છીએ તેની નિર્માણ પ્રક્રિયા લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે. આ મંદિર રાજસ્થાનમાં આલેવુ ભંડાસર મંદિર છે. તેના નિર્માણમાં પાણીની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રાજસ્થાનમાં સ્થિત ભંડાસર મંદિરનું નિર્માણ 15મી સદીની આસપાસ બંદા શાહ ઓસવાલ નામના ધનાઢ્ય વેપારીએ કરાવ્યું હતું. આ મંદિર જૈન ધર્મના પાંચમા તીર્થંકર સુમતિનાથને સમર્પિત છે.
આ મંદિર ઘીથી નિર્માણ થવા સાથે સાથે તેની આંતરિક બનાવટ અને સ્થાપત્ય કલા માટે પણ જાણીતું છે. ઘણા જૈન મંદિરોની જેમ તેમાં પણ કોતરણી અને રંગબેરંગી ચિત્રો છે. આ મંદિર ત્રણ માળનું બનેલું છે, જેમાં દરેક માળે જૈન સંસ્કૃતિનું એક અલગ પાસું દેખાય છે.
શા માટે આ મંદિર પાણીને બદલે ઘી વડે બાંધવામાં આવ્યું હતું તે અંગેની એક સૌથી પ્રચલિત વાર્તા એ છે કે એક વખત જ્યારે બંદા શાહે ગામલોકોને જમીન પર મંદિર બનાવવાનું કહ્યું ત્યારે તેઓએ તેનો વિરોધ કર્યો.
જ્યારે આનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે ગ્રામજનોએ કહ્યું કે આ વિસ્તારમાં પહેલેથી જ પાણીની તીવ્ર અછત છે, જે તેમના માટે માંડ માંડ બચી શકે છે. અને હવે મંદિર બનશે તો પાણી ખતમ થઈ જશે અને લોકો ભૂખે મરશે. પરંતુ બંદા શાહ મક્કમ હતા અને પાણીને બદલે ઘી વડે મંદિર બનાવવાનું નક્કી કર્યું.
જો કે પાયો ખરેખર પાણીને બદલે ઘીનો બનેલો છે કે કેમ તે શોધવા માટે કોઈ ખોદકામ કરી શકાતું નથી. પરંતુ એવું કહેવાય છે કે બાંધકામમાં ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખૂબ જ ગરમીના દિવસોમાં મંદિર લપસણું થઈ જાય છે અને થાંભલા અને ભોંયતળિયામાંથી ઘી ટપકતું જોઈ શકાય છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
