Navratri Special : પાંચમાં નોરતે કરો માં સ્કંદમાતાની પૂજા આ રીતે
નવરાત્રીના પાંચમાં દિવશે માં સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે આ પૂજાથી માં સદાય તેના બાળકો પર પ્રસન્ન થાય છે અને તેના તમામ મનોરથ પૂરા કરે છે. આ અંગે વધુ વાંચો અહીં
નવરાત્રિનો પાંચમો દિવસ મા સ્કંદમાતાનો હોય છે. માં સ્કંદમાતા ખુબ જ સરસ અને મોહક અને મોક્ષ આપનાર હોય છે. સ્કંદમાતાની સ્તુતિ કરવા માટે નીચે આપેલા મંત્રનો ઉપયોગ કરવો જોઇએ. આ મંત્રના જાપ કરવાથી માં સ્કંદમાતાની કૃપા દ્રષ્ટિ સદાય આપણા પર રહે છે. અને આપણા જીવનમાં શાંતિ અને સુખની શરૂઆત થાય છે.

તો જે લોકો માં સ્કંદમાતાના રૂપની પૂજા કરે છે તો તેમને ઘણા લાભ થાય છે. આજના દિવસે માંની પૂજા માટે જાતકોએ આ શ્લોકથી પૂજાની શરૂઆત કરવી જોઇએ.
या देवी सर्वभूतेषु माँ स्कंदमाता रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
ત્રણે લોકના સ્વામી ભગવાન શિવ અને મા પાર્વતીના પુત્ર કાર્તિકને ભગવાન સ્કંદ પણ કહેવામાં આવે છે. માટે ભગવાન સ્કંદની માતા હોવાના કારણે મા દુર્ગાના સ્વરૂપને સ્કંદમાતાના નામે પણ ઓળખવામાં આવે છે. જે કમળના આસન પર બિરાજે છે. માટે તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. સિંહ પણ તેમનું વાહન છે. માના આ રૂપની પૂજા અસલી ઔષધીના રૂપમાં પણ કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
