PICS: મહારાષ્ટ્રની ચૂંટણીની ઉથલ-પાથલ વચ્ચે કોણે શું કહ્યું
મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ઉથલ-પાથલ વચ્ચે રાજનેતાઓની નિવેદનબાજીનો માહોલ ગરમ છે. રાજકીય પાર્ટીઓના નેતા એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતાં રહ્યાં તો ક્યારેક તીખા પ્રહાર કર્યા. નરેન્દ્ર મોદીએ પોતાની રેલીમાં સીધી રીતે કોંગ્રેસ-એનસીપીને પ્રહાર કરતાં જોવા મળ્યા તો રાહુલ ગાંધી પ્રત્યક્ષ રીતે નરેન્દ્ર મોદી પર શબ્દબાણ છોડતાં જોવા મળ્યા.
તો બીજી તરફ ભાજપથી અલગ થયેલી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભાજપને આડે હાથ લેવાની તક છોડી નહી. ઉદ્ધવ ઠાકરે સતત રાજકીય કટાક્ષ કરતાં રહ્યાં હતા.
એનસીપી અધ્યક્ષ શરદ પવાર પણ રાજકીય ગરમાવાને જોતાં નિવેદન બાજી સક્રિય જોવા મળી. આવો તસવીરોના માધ્યમથી જોઇએ કોણે શું-શું કહ્યું.

નરેન્દ્ર મોદી, વડાપ્રધાન અને ભાજપ નેતા
એનસીપી-કોંગ્રેસની પાર્ટી લુંટારાઓની પાર્ટી છે. એનસીપીની ઘડીયાળમાં 10 કલાક અને 10 મિનિટ હોય છે તેનો મતલબ થાય છે કે દર વર્ષમાં તેમની સરકારમાં ભ્રષ્ટાચાર દસ ગણો વધી જાય છે.

રાહુલ ગાંધી, ઉપાધ્યક્ષ, કોંગ્રેસ પાર્ટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહરાત્મા ગાંધીની વાતો કરતાં તેમના વિચારોની વાતો કરે છે પરંતુ તેમના વિચારો અને સિદ્ધાંતોને તે પોતે ફોલો કરતા નથી.

આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી ગુજરાત
મહારાષ્ટ્રમાં એનસીપી-કોંગ્રેસ પાર્ટીની સરકારે મહારાષ્ટ્રના ઉદ્યોગપતિને પ્રોત્સાહન આપ્યું નથી. પૂર્વની મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં રોકાણકારોને સુવિધાઓ પ્રદાન કરવામાં અસફળ રહી છે.

શરદ પવાર, અધ્યક્ષ, એનસીપી
ચૂંટણી કમિશનને અલગ રાજ્ય વિદર્ભની માંગને જોતાં મત સંગ્રહ (રેફરેંડમ) કરાવવું જોઇએ. જો વધુમાં વધુ લોકો વિદર્ભના રૂપમાં અલગ રાજ્ય માટે વોટ કરે છે તો હું ઇચ્છીશ કે અલગ રાજ્ય થવું જોઇએ.

ઉદ્ધવ ઠાકરે, પ્રમુખ, શિવસેના
ઉદ્ધવ ઠાકરેએ બાંદ્રા કુર્લામાં એક રેલીને સંબોધિત કરતાં કહ્યું કે ભાજપની સાથે ગઠબંધન તૂટવાનું હતું. ભાજપને જો સીટ આપી દેત તો શિવસેના ખતમ થઇ શકત. પરંતુ ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકશે નહી. આ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ નરેન્દ્ર મોદીને અફજલ ખાન ગણાવ્યા હતા જેને શિવાજીએ પરાજીત કર્યા હતા.

આર આર પાટીલની ટિપ્પણી
રેપના આરોપી એનએનએસ ઉમેદવાર સુધાકર ખડેના સમર્થન માટે જ્યારે કેટલાક સમર્થક આર આર પાટીલની પાસે આવ્યા તો તેમણે કંઇક વિવાદાસ્પદ નિવેદન આપ્યું. આર આર પાટીલે કહ્યું કે જો રેપ કરવો જ હતો તો એમએલએ બન્યા બાદ કરતા. જો કે તેમણે આ નિવેદન પર પછી માંફી માંગી.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
