Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાત કે વહેલી સવાર નહીં પરંતુ આ સમયે થાય છે સૌથી વધુ રોડ અકસ્માત, જાણો શું છે કારણ?

દુનિયાભરમાં વર્ષે લાખો લોકો રોડ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવે છે. આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે કે આની પાછળ શું કારણ છે અને એવો ક્યો સમય છે જે સમયે સૌથી વધુ અકસ્માત થાય છે.

ભારતમાં વર્ષ 2022 માં કુલ 4 લાખ 61 હજારથી વધુ માર્ગ અકસ્માત થયા. જેમાં 1 લાખ 68 હજાર લોકોના મોત થયા. આ વર્ષે દરરોજ 1264 માર્ગ અકસ્માત નોંધાયા અને 462 લોકોના મોત થયા.

accident

તમે વિચારશો કે અકસ્માતો રાત્રે વધુ થતા હશે, ઘણા લોકોને લાગે છે કે મોટાભાગના અકસ્માતો સવારે 3-4 વાગ્યે થાય છે, આ સમયે લોકોને ઊંઘ આવવા લાગે છે. પરંતુ તે એવું નથી.

અહેવાલો અનુસાર, 60 ટકા અકસ્માતો સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યાની વચ્ચે થાય છે અને માત્ર 10 ટકા જ રાત્રે થાય છે.

ચોક્કસ સમય પર નજર કરીએ તો મોટાભાગના અકસ્માતો સાંજે 6 થી 9 વાગ્યા સુધી થાય છે. આ સમયે 20.2 ટકા અકસ્માતો થાય છે.

આ સિવાય 5 ટકા અકસ્માતો મધરાત 12 થી સવારે 3 વાગ્યા સુધી, 5.9 ટકા બપોરના 3 થી સવારે 6 વાગ્યા સુધી અને 10.7 ટકા અકસ્માતો સવારે 6 થી 9 વાગ્યા સુધી થાય છે.

આ સિવાય સવારે 9 થી 12 વાગ્યા સુધી 14.8 ટકા, બપોરે 12 થી 3 વાગ્યા સુધી 15.5 ટકા અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી 17.8 ટકા અકસ્માતો થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X