ભારતના આ પ્રદેશોમાં કરવામાં આવે છે રાવણની પૂજા..!!!
ગાંધીનગર, 13 ઓક્ટોબર: નવરાત્રિ બાદ દશમના દિવસો દશેરો હોય છે. ભગવાન શ્રીરામે આ દિવસે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો, એટલા માટે તેને વિજયા દશમી પણ કહેવામાં આવે છે.
દશેરાનું નામ આવતાંની સાથે જ દેશભરમાં રાવણ દહનના માધ્યમથી આ તહેવારને મનાવવાની છબિ સામે આવે છે. પરંતુ આપણાં ત્યાં એવા કેટલાક શહેરો છે જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે.
સાંભળવામાં થોડી અજુગતું જરૂર લાગે છે કે એક અસૂરની કેવી પૂજા, પરંતુ અહીં તમને જણાવી દઇએ કે દશાનન મહાવિદ્યાવાન, કર્મકાંડી અને ભગવાન શિવનો અનન્ય ભક્ત પણ હતો. આ ગુણોના કારણે દેશનો કેટલોક વર્ગ તેને પૂજે પણ છે. આવો જાણીએ ક્યાં-ક્યાં છે આવી પરંપરા.

રાવણનું મંદિર, એક જ વાર ખુલે છે દરવાજો
કાનપુરમાં રાવણ માટે એક મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં તેની પ્રતિમાને ગંગાજળ, દૂધ અને અન્ય પંચામૃત પદાર્થોની સ્નાન અને અભિષેક કરવામાં આવે છે. પરંતુ મંદિરનો દરવાજો વર્ષમાં ફક્ત દશેરાના દિવસે જ ખોલવામાં આવે છે, પછી બંધ કરી દેવામાં આવે છે. અને દર વર્ષે દશેરાના દિવસે જ મંદિરના પટ ખોલવામાં આવે છે.

જ્યાં રાવણ અસુર નહી જમાઇ છે
મધ્યપ્રદેશના વિદિશા વિસ્તારમાં રાવણને દેવતા માનીને પૂજા કરવામાં આવે છે, તો બીજી તરફ મંદસૌરમાં રાવણને જમાઇ ગણીને સન્માન આપવામાં આવે છે. તેની પાછળ એવું કારણ બતાવવામાં આવે છે રાવણની પટરાણી મંદોદરી પિયર મંદસૌર હતું. જેના લીધે તેના જ્ઞાન, વિદ્યતા અને રણ-કૌશલના તેને સન્માન આપવામાં આવે છે.

અહીં થાય છે દશાનન રાવણની પૂજા
આજે દશેરો છે અને દેશના વિભિન્ન ભાગોમાં બુરાઇનું પ્રતિક માનીને રાવણ દહન કરવામાં આવશે. દર્શકો રાવણ દહનનો આનંદ પણ ઉઠાવશે અને મેળામાં ખૂબ ખરીદી કરશે પરંતુ એક એવું સ્થળ છે જ્યાં આજે રાવણનું દહન નહી કરવામાં આવે પરંતુ તેની પૂજા કરવામાં આવશે. આ સ્થળ છે નોઇડા નજીક આવેલું બિસરખ ગામ. પ્રાચીન કંવદતીં અનુસાર પુરાણોમાં બિસરખનું પ્રાચીન નામ વિશ્વેશ્વરા બતાવવામાં આવે છે. આ રાવણનું જન્મસ્થળ હોવાની માન્યતા કારણે આ ગામના લોકો વિજયા દશમીના દિવસે જ્યારે આખો દેશ રાવણ દહન જશ્ન મનાવે છે ત્યારે આ ગામના લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે રાવણની પૂજામાં જોડાયેલા હોય છે.

પાટણમાં પણ રાવણના ભક્ત
પાટણમાં રહેનાર નામદેવ ગત 37 વર્ષોથી સતત રાવણની પૂજા કરે છે અને દર વર્ષે યોજાનારે રામલીલામાં પણ રાવણનું પાત્ર ભજવે છે. તેમના ત્રણેય પુત્રોના નામ મેઘરાજ, અક્ષય કુમાર અને રાજકુમાર નામ રાખ્યાં છે, સાથે જ તેમની ટેલરીંગની દુકાનનું નામ 'જય લંકેશ ટેલર્સ' છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
