નવા વર્ષે લોકોએ કર્યા આ ગજબના સંકલ્પો અને તમે!
નવું આવતાની સાથે જ લોકો પોતાના જીવનને શાનદાર બનાવવા માટે અવનવા સંકલ્પો લે છે. મોટાભાગે આ સંકલ્પો ખોટી આદતોને છોડવા માટે અને સારી આદતોની શરૂઆત કરવાના સંબંધિત હોય છે. સારી આદતોવાળા સંકલ્પોથી લોકોને પોતાની જીંદગીને વ્યવસ્થિત, અનુશાસિત અને પ્રેરિત કરવામાં મદદ મળે છે.
નવા વર્ષની શરૂઆતમાં લોકો મોટેભાગે આવનાર વર્ષ દરમિયાન વધારે રૂપિયા કમાવવાનો સંકલ્પ કરે છે. લોકોની પાસે ભલે ગમે તેટલું ધન હોય પરંતુ તેમને હંમેશા ધનની ઊણપ વર્તાતી રહે છે, અને તેઓ તેમના ધંધામાં બરકત કરવાના ઉપાયોને તેજ કરી દે છે. દરેક વ્યક્તિ આર્થિક રીતે સમૃદ્ધ થવા માગે છે અને તેઓ નવા વર્ષે વધુ રૂપિયા કમાવવાનો સંકલ્પ કરે છે.
ઘણા લોકો એવા હોય છે જે નવા વર્ષ પર જીવનને નવા અને શાનદાર રીતથી શરૂ કરવાનો સંકલ્પ લે છે, તો કેટલાંક એવા પણ છે જે પોતાના સંકલ્પોનું વધારે દિવસો સુધી અનુપાલન કરી શકતા નથી. વર્ષ 2014નું આગમન થઇ રહ્યું છે. એવામાં આ પાંચ સંકલ્પો પર નજર નાખીએ જેને નવ વર્ષના અવસરે પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ લે છે.

વજન ઓછુ કરવું:
ઘણા લોકો એવા હોય છે જેઓ પોતાના મેદસ્વીપણાથી ત્રાસેલા હોય છે. માટે તેઓ નવા વર્ષે એવો સંકલ્પ કરે છે કે તેઓ નિયમિતપણે વ્યાયામ કરશે અને પોતાના શરીરમાંથી બિનજરૂરી ચરબીને ઓછી કરશે તથા સ્લિમ અને ફિટ રહેશે. નવા વર્ષની શરૂઆતથી જીંદગીમાં નવા ઉમંગ અને ઉત્સાહનો સંચાર થાય છે.

કમાણીની ચાહત:
નવા વર્ષની શરૂઆતમાં લોકો મોટેભાગે આવનાર વર્ષ દરમિયાન વધારે રૂપિયા કમાવવાનો સંકલ્પ કરે છે. લોકોની પાસે ભલે ગમે તેટલું ધન હોય પરંતુ તેમને હંમેશા ધનની ઊણપ વર્તાતી રહે છે, અને તેઓ તેમના ધંધામાં બરકત કરવાના ઉપાયોને તેજ કરી દે છે. દરેક વ્યક્તિ આર્થિક રીતે સમૃદ્ધ થવા માગે છે અને તેઓ નવા વર્ષે વધુ રૂપિયા કમાવવાનો સંકલ્પ કરે છે.

નવા વિચારોનું સ્વાગત:
નવા વર્ષે લોકો ભૂતકાળની કડવી વાતો અને ઘટનાઓને ભૂલાવી દેવી જોઇએ. તેઓ નવા વિચારોનું ખુલ્લા દિલથી સ્વાગત કરવા માગે છે. નવા વર્ષ પર લોકો સંકલ્પ લે છે કે તેઓ ખોટા વિચારોને પોતાની લાઇફમાં સ્થાન નહી આપે અને જીંદગીને મોજથી જીવવાનો સંકલ્પ કરશે.

સફળતાની ઉંચી ઉડાન:
આજનો સમય ગળાકાપ પ્રતિસ્પર્ધાનો છે. કોર્પોરેટ જગતમાં ભયંકર પ્રતિસ્પર્ધા છે અને નવી પીઢી આ કોર્પોરેટ જગતની શક્તિ છે. કડક પ્રતિસ્પર્ધાના આ દૌરમાં યુવા પીઢી પોતાને પાછળ રહેવા દેવા નથી માંગતી. તે સફળતાના નવા કિર્તીમાન રચવા માગે છે. નવા વર્ષ પર તેઓ સફળતાની નવી ઊંચાઇ હાસલ કરવાનો સંકલ્પ કરે છે.

આધ્યાત્મિક અને આત્મીય બનવાની ચાહત:
નવા વર્ષના અવસરે લોકો આધ્યાત્મિકતા પર ભાર મૂકે છે. તેઓ નવા વર્ષે પર ઇશ્વર, ધાર્મિક અનુષ્ઠાનો અને ભક્તિને પોતાના જીવનમાં વધુ સ્થાન આપવાનો સંકલ્પ લે છે. જ્યારે કેટલાંક લોકો પોતાના પરિવાર અને પ્રિયજનોની નજીક જવાનો સંકલ્પ લે છે.
|
કનૈયા કોષ્ઠી
કનૈયા કોષ્ઠી
|
રાકેશ શુક્લા
રાકેશ શુક્લા
|
અનુજ પ્રજાપતિ
અનુજ પ્રજાપતિ
|
ઈશ્વર આશિષ
ઈશ્વર આશિષ
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
