PICS: દુર્ગા પૂજા બાદ દશેરાના રંગે રંગાયુ ભારત
નવરાત્રીના નવ દિવસ માં દુર્ગાની પૂજા બાદ ભારતભરમાં દશેરાનો ઉમંગ જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં હાલમાં દશેરાની તૈયારીઓમાં લોકો વ્યસ્ત છે. અસત્ય પર સત્યના વિજયને લઇને દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે.
આ દિવસે ભગવાન રામનો રાવણ પર વિજય થયો હતો તેના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવતો દશેરાનો તહેવાર અસત્ય પર સત્યની વિજયના પ્રતિક સમાન છે. આ પહેલા નવરાત્રિના દિવસોમાં અનેક સ્થળ પર રામલીલા પણ આયોજીત કરવામાં આવે છે. ખાસ કરીને ભારતભરમાં રામલીલાનું અને રાવણ દહનનું અનેરૂં મહત્વ છે. દક્ષિણ ભારતમાં તો કેટલાક સ્થળ પર રાવણની પૂજા પણ કરવામાં આવે છે.
દશેરાના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો, એટલે દશેરાને અસત્ય પર સત્યના વિજયના રૂપમાં મનાવવામાં આવે છે. અને તેથી જ આ દશમને વિજયાદશમી કહેવાય છે. આ દિવસે જ લોકો નવા કાર્યની શરૂઆત કરે છે. અને શસ્ર પૂજા પણ કરે છે. વિજયાદશમી સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો જાણવા માટે નીચેની સ્લાઇડ્સ પર ક્લીક કરો.

રાવણ દહન
માનવામાં આવે છેકે રાવણ દહનની સાથે જ બધી જ બુરાઇનો પણ નાશ થાય છે.

નવરાત્રિનું સમાપન
દેશભરમાં નવમીના દિવસે માઁના અંતિમ દર્શનની સાથે જ નવરાત્રિનું સમાપન થાય છે. મંદિરોમાં પણ ભીડ ઉમટે છે.

રાવણના પુતળા
દેશના ખુણે ખુણે દશેરાનો ઉત્સાહ લોકોમાં જબરજસ્ત જોવા મળે છે. દેશમાં અનેક સ્થળે રાવણ, કુંભકર્ણ, અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવે છે.

દેવી ચામુંડેશ્વરીથી થાય છે, દશેરાની શરૂઆત
દક્ષિણ ભારતમાં મૈસુર દશેરાનું વિશેષ મહત્વ છે. જગવિખ્યાત મૈસુર દશેરાનો આરંભ પહાડોમાં બિરાજનાર માઁ ચામુંડેશ્વરીના મંદિરમાં વિશેષ પૂજા અર્ચના સાથે શરૂ થાય છે. વિજયાદશમીના દિવસે માઁ ચામુંડેશ્વરીના મંદિરને વિશેષ રીતે સજાવવામાં આવે છે.

મૈસુર દશેરા
ભારતભરમાં મૈસુર દશેરા ખુબ જ પ્રખ્યાત છે. આ દિવસે મૈસુર પેલેસને વિશેષ રીતે સજાવવામાં આવે છે. સાથે જ જમ્બો સવારીનું પણ વિશેષ મહત્વ છે.

દિલ્હી રામલીલા મેદાન
તો કુરૂક્ષેત્રની ભૂમિ દિલ્હીના રામલીલા મેદાન પર પણ મોટાપાયે રાવણદહેનનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજનેતાઓ પણ ઉપસ્થિત રહે છે.

રાવણ દહનની માન્યતા
માનવામાં આવે છેકે રાવણ દહનની સાથે અહંકાર, ક્રોધ, અભિમાન, વાસના, અસત્ય, લોભ વગેરેનો નાશ થાય છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
