Sawan 2018: ભગવાન શિવ છે સંપૂર્ણ વિજ્ઞાન
હિંદુ ધર્મની લગભગ તમામ ધાર્મિક માન્યતાઓ, પૂજા વિધિ અને દેવીદેવતાઓને ચડાવાતી સામગ્રીનો વૈજ્ઞાનિક આધાર છે. આપણી પૂજાની વિધિ માત્ર એક પરંપરા નથી.
હિંદુ ધર્મની લગભગ તમામ ધાર્મિક માન્યતાઓ, પૂજા વિધિ અને દેવીદેવતાઓને ચડાવાતી સામગ્રીનો વૈજ્ઞાનિક આધાર છે. આપણી પૂજાની વિધિ માત્ર એક પરંપરા નથી. રૂષિમુનિઓએ પોતાના જ્ઞાનચક્ષુ દ્વારા નક્કી કર્યું હતું કે કઈ વિધિ સાથે કયું વિજ્ઞાન જોડાયેલું છે. પ્રાચીન કાળમાં લોકો વિજ્ઞાનને નહોતા સમજતા એટલે તેને ધર્મની સાથે જોડીને રજૂ કરાયું. અને લોકો તેને આસ્થા અને શ્રદ્ધાના નામ પર અપનાવતા હતા.

શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક
અમે વાત કરી રહ્યા છીએ શિવલિંગ પર દૂધ અને જળના અભિષેકની. શિવલિંગ પર જળ અને દૂધ અર્પિત કરવાને ઘણા લોકો અંધવિશ્વાસ કહીને નકારે છે. કારણ કે તેમને આ ઘટના પાછળની વૈજ્ઞાનિક માહિતી નથઈ. શિવલિંગ પર જળ ચડાવવાનું વૈજ્ઞાનિક કારણ છે. શું તમે ક્યારેય એ તપાસ્યુ છે કે શિવલિંગનો આકાર વિશ્વના તમામ ન્યૂક્લિયર રિએક્ટર જેવો જ કેમ છે. હકીકતમાં ન્યૂક્લિઅર રિએક્ટર પણ શિવલિંગ પરથી જ બન્યા છે. અને વૈજ્ઞાનિકો આ વાત સ્વીકારી પણ ચૂક્યા છે, કે દુનિયામાં જેટલા પણ શિવલિંગ છે તેની આજુબાજુ સૌથી વધુ ન્યૂક્લિયર સક્રિયતા મળે છે. અમેરિકન વૈજ્ઞાનિકો આ વાત સાબિત પણ કરી ચૂક્યા છે કે કોઈ પૂર્ણ સક્રિય શિવલિંગ અને ન્યૂક્લિયર રિએક્ટરની આસપાસના વાતાવરણમાં એક સમાન વિકિરણ અને આવેશ હોય છે. એટલે શિવલિંગની ન્યૂક્લિયર સક્રિયા શાંત કરવા માટે જ જળ, ભાંગ, ધરૂતો, બિલિ પત્ર સહિતના રેડિયેશનને શોષિત કરતા પદાર્થ ચડાવવામાં આવે છે. આ તમામ પદાર્થ અપ્રિત કરવા માટે જ્યારે કોઈ વ્યક્તિ શિવલિંગની નજીક જાય છે તો ન્યૂક્લિયર વિકિરણને કારણે તે વ્યક્તિના શરીર, મન અને મસ્તિષ્કમાં કેટલાક વૈજ્ઞાનિક ફેરફાર થાય છે.

બીજી વાત, શિવલિંગના કાળા પત્થર વિશે...
તમે જોયું હશે કે મોટા ભાગના શિવલિંગ કાળા પત્થરમાંથી જ બનેલા હોય છે, તેની પાછળ પણ વિજ્ઞાન છે. હકીકતમાં કાળો રંગ કાળો એટલા માટે દેખાય છે કારણ કે તે અન્ય રંગને પરાવર્તિત નથી કરતો. તેમાં તમામ રંગ સમાઈ જાય છે. કાળો રંગ નકારાત્મક ઉર્જાને સોશવાનું કામ કરે છે. જો કોઈ વ્યક્તિમાં નકારાત્મક ઉર્જા વધુ પ્રમાણમાં છે તો તેને અનેક પ્રકારના માનસિક અને શારિરીક રોગ થઈ શકે છે. નકારાત્મક ઉર્જાને કારણે વ્યક્તિના જીવનમાં પ્રત્યેક કાર્ય પ્રભાવિત થાય છે. આવો વ્યક્તિ જ્યારે શિવલિંગના કાળા પત્થ નજીક જાય છે, તેને સ્પર્શ કરે છે તો નકારાત્મક ઉર્જા શિવલિંગ ખેંચી લે છે. અને તે વ્યક્તિને સકારાત્મક ઉર્જા આપે છે. એટલે જે તે વ્યક્તિ માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ મહેસૂસ કરે છે.

માનસિક શાંતિ
ત્રીજી વાત, જ્યારે સૌથી વધુ માનસિક શાંતિ શિવ મંદિરમાં મળે છે. આમ તો તમામ દેવી દેવતાઓ મંદિરમાં શ્રદ્ધાળુઓને શાંતિ તો મળે છે, પરંતુ વૈજ્ઞાનિકોના મત મૂજબ સૌથી વધુ માનસિક શાંતિ શિવાલયમાં પ્રાપ્ત થાય છે. બ્રિટનના વૈજ્ઞાનિકોની વાત માનીએ તો મેડિટેશન પર રિસર્ચ દરમિયાન શિવ મંદિરમાં મેડિટેશન કરવાથી ધ્યાન ઝડપથી એકાગ્ર થાય છે. શિવને આદિયોગી અને પરમ યોગ ગુરુ કહેવાયા છે. યોગના જનક ભગવાન શિવ જ છે. એટલે સ્વાભાવિક છે કે તેમના મંદિરમા બેસીને ધ્યાન ધરવું સહેલું છે. શિવ મંદિરમાં મેડિટેશન કરવાથી વ્યક્તિના શ્વાસ સંતુલિત થાય છે. મસ્તિષ્ક શાંત કરનાર રસાયણો ઉદ્ભવે છે. તેમાં શારિરીક, માનસિક અને આધ્યાત્મિક શાંતિ મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
