ન્યૂટનની ભવિષ્યવાણી- 2060માં ખતમ થઇ જશે દુનિયા!
બેંગલુરુ, 11 જૂન: આ દુનિયા ક્યા સુધી ચાલતી રહેશે? ક્યારે દુનિયાનો અંત આવશે? આ સવાલ કોઇના મનમાં ઊઠે છે. નાસ્ત્રેદમસ સહિત ઘણા ભવિષ્યવિદોએ અલગ-અલગ ભવિષ્યવાણીઓ કરી છે. તેમાંથી જ એક ફાદર ઓફ મોર્ડન સાયન્સ સર આઇસેક ન્યૂટ પણ હતા, જેમણે જણાવ્યું હતું કે આ દુનિયા 2060માં ખતમ થઇ જશે. ખાસ વાત એ છે કે ન્યૂટને એવું એમ જ ન્હોતું કહ્યું. તેના માટે પણ એક ફોર્મુલા હતું.
ગતિના તમામ નિયમો આપનાર ન્યૂટને 1704માં એક નોંધ લખી હતી. ન્યૂટનની તે નોટ તે પત્રોની સાથે મળી, જે તેમણે લખ્યા હતા. 1727માં ન્યૂટનના નિધન બાદ તેમના દ્વારા લખાયેલ તમામ નોંધો તેમના ઘરેથી મળી આવી. 1936માં ન્યૂટનના પત્રોની નીલામી થઇ, તો ઇંગ્લેંડના અર્થશાસ્ત્રી જ્હોન મેયનાર્ડ કીન્સે તેને ખરીદ્યા હતા. બાદમાં તેને જેરુસલેમના એક સ્કોલરે પુસ્તક સ્વરૂપે આપ્યા હતા. આ પુસ્તકનું નામ હતું 'સિક્રેટ્સ ઓફ ન્યૂટન' પુસ્તક આજે પણ યુનિવર્સિટી ઓફ જેરૂસલેમમાં છે.
ઇ.સ. 1904માં ન્યૂટને લખેલ નોંધ-
''વ્યક્તિ લિનેનના કપડા પહેરવા લાખ્યો છે, ડાબો હાથ ઉપર કરીને નદીઓના પાણીના ઉપર ચાલવા લાગ્યો છે અને જમણો હાથ ઊંચો કરીને સ્વર્ગ જેવો અનુભવ કરવા લાગ્યો છે. જો વ્યક્તિ એવું વિચારે છે કે તે હંમેશા માટે રહેશે તો તેવું બિલકૂલ નથી. તેમનો પણ સમય આવશે. જ્યારે વ્યક્તિ ધર્મને માનવાનું બંધ કરી દેશે, ત્યારથી જ તેનો અંત શરૂ થઇ જશે અને દુનિયા પણ એક દિવસ ખતમ થઇ જશે. આ તમામ સમય માટે રહેશે. એક સમય આવશે જ્યારે અડધો સમય રહી જશે. ન્યૂટને આ નોટ ડેનિયલની કિતાબમાં વાંચી હતી, તેના અંતમાં સમયનો તકાજો કરવામાં આવ્યો. સમય, સમય અને અડધો સમય.''
ન્યૂટને આ જ આધાર પર કેલક્યૂલેશન કર્યું અને જવાબ આપ્યો કે સાડા ત્રણ વર્ષ એટલે કે 1,260 દિવસ.
ત્યારબાદ વૈજ્ઞાનિક ગણતરી કરવામાં આવી અને તેમાં દિવસ વર્ષમાં ફેરવાઇ ગયા એટલે કે 1,260 વર્ષમાં દુનિયાનો અંત આવી શકે છે.

ન્યૂટનની ભવિષ્યવાણી
ન્યૂટનના મનમાં સવાલ ઊઠ્યો કે આ કાઉન્ડાઉન ક્યારથી શરૂ થશે.

ન્યૂટનની ભવિષ્યવાણી
જેના આધારે ન્યૂટને 1704ના અંતમાં લખ્યું હતું કે 800AD ને માન્ય બનાવ્યું.

ન્યૂટનની ભવિષ્યવાણી
ન્યૂટનનો તર્ક હતો કે 800ADમાં રોમમાં ધાર્મિક ક્રાંતિ આવી અને રોમના રાજા ચાલીમેગનેએ શાસન કરતા ઉપર પોપને સ્થાન આપ્યું હતું.

ન્યૂટનની ભવિષ્યવાણી
ન્યૂટનની ગણનાના આધારે 800 + 1260 = 2060AD એટલે કે 2060માં આ દુનિયા ખતમ થઇ જશે.

ન્યૂટનની ભવિષ્યવાણી
ન્યૂટને 1704માં જ લખી દીધું હતું કે આ દુનિયા 2060 પહેલા પાક્કુ ખતમ તો નહીં થાય.

ન્યૂટનની ભવિષ્યવાણી
જો પૃથ્વીની ઉંમર 2060થી આગળ વધી, તો આ એ વર્ષ હશે જ્યારે તબાહી શરૂ થઇ જશે.

ન્યૂટનની ભવિષ્યવાણી
યુનિવર્સિટી ઓફ જેરુસલેમના આ પુસ્તક અનુસાર ન્યૂટને લગભગ 10 લાખ શબ્દોના અલગ અલગ નોંધ લખી હતી. જેમાં ધર્મની વાત કહેવામાં આવી હતી. એટલું જ નહીં ગુરુત્વાકર્ષણ બળ અને તેના સિદ્ધાંત ઉપરાંત ન્યૂટને ઘણા ગ્રહોનું પણ અધ્યયન કર્યું. ન્યૂટન સાથે જોડાયેલ જાણી-અજાણી વાતોને ધ ન્યૂટન પ્રોજેક્ટમાં સંગ્રહીત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
