સો ટકા તમે અજાણ હશો ટૂથબ્રશની આ કડવી સચ્ચાઇથી.!!!
દરરોજ દાંત માંજવા દાંતોની સફાઇ તથા પ્લાક હટાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોંઢાની સારી સફાઇ માટે ટૂથબ્રશની યોગ્ય સંભાળ અને જાળવણી પણ મહત્વની છે. ડૉક્ટરોની સલાહ છે કે ટૂથબ્રથને લગભગ 3 થી 4 મહિને અથવા રેસા ફેલાય જવાની સ્થિતીમાં જલદી બદલી દેવું જોઇએ.
ઇગ્લેંડની મેન્ચેસ્ટર યુનિવર્સિટીના શોધકર્તા કહે છે કે તમારું ટૂથબ્રથ કિટાણુઓથી ભરેલું હોય છે. તેમને જાણવા મળ્યું હતું કે ખુલ્લા ટૂથબ્રથમાં 10 કરોડથી વધુ જીવાણું હોય છે જેમાં ઇ કોલાઇ (જેનાથી ડાયેરિયા થાય છે) અને સ્ટેફાઇલોકોકાઇ (જેનાથી ચામડીમાં સંક્રમણ થાય છે) સામેલ હોય છે.

શું તમને ખબર છે કે તમારા ટૂથબરથમાં શું છુપાયેલું છે
શોધકર્તા કહે છે કે તમારું ટૂથબ્રથ કિટાણુંઓથી ભરેલું હોય છે. તેમને જાણવા મળ્યું હતું કે ખુલ્લા ટૂથબ્રથમાં 10 કરોડથી વધુ જીવાણું હોય છે જેમાં ઇ કોલાઇ (જેનાથી ડાયેરિયા થાય છે) અને સ્ટેફાઇલોકોકાઇ (જેનાથી ચામડીમાં સંક્રમણ થાય છે) સામેલ હોય છે.

જીવાણુઓથી ભરેલું મોઢું
દરરોજ આપણા મોંઢામાં હજારો સૂક્ષ્મજીવ હોય છે. તેમાં કોઇને કોઇ વાત તો હોય છે. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે મોંઢામાં જીવાણુંઓનું અસવસ્થ સંતુલન થાય છે. આ ધ્યાન આપવા જેવી બાબત છે કે પ્લાક, જે તમે દાંતો પરથી દૂર કરો છે, હકિકતમાં જીવાણું હોય છે, એટલા માટે જ્યારે બ્રશ કરો છો તો ટૂથબ્રથ પર જીવાણુંઓથી ભરી દો છો.

બ્રશ કરવાથી કેવી રીતે નુકસાન થાય છે
બ્રશ કરવાની ક્રિયા, ખાસ કરીને વિદ્યુતિય ટૂથબ્રશ દ્વારા, હકિકતમાં આ જીવોને મોંઢાની ચામડીની નીચે ભરી દે છે. તેમાંથી કેટલાક કિટાણું તમારા મોંઢામાં પહેલાંથી હોવાથી ટૂથબ્રશમાં રહે છે અને જ્યાં સુધી ટૂથબ્રશનો ઉપયોગ બીજું ના કરે, ત્યાં સુધી કોઇ બિમારી થતી નથી. પરંતુ વારંવાર થતી બિમારીમાં તેની ભૂમિકા હોય છે.

શું તમારું ટૂથબ્રશ પણ તમને બિમારી બનાવે છે
શક્ય નથી. ભલે ગમેતેટલા જીવાણું તમારા મોંઢામાં રહે અથવા તમારા ટૂથબ્રશ દ્વારા ત્યાં પહોંચતા હોય, તમારા શરીરની પ્રાકૃતિક પ્રતિરક્ષણ ક્ષમતાના કારણે બ્રશ કરવાથી કોઇ સંક્રમણ થશે નહી.

ટોયલેટમાં બ્રશ ના કરો
મોટાભાગે બાથરૂમ નાના હોય છે. અને કેટલાક ઘરોમાં ટોયલેટમાં ટૂથબ્રશ રાખવાની જગ્યા બાથરૂમ સિંકની નજીક હોય છે. શૌચ બાદ ફ્લશ ચાલુ કરતાં હવામાં જીવાણું ઉડે છે. એટલા માટે તમારા ટૂથબ્રશને ટોયલેટથી દૂર રાખવામાં સમજદારી છે.

ટૂથબ્રશ હોલ્ડર
ફ્લશ બાદ હવામાં રહેલા જીવાણું ટૂથબ્રશ હોલ્ડર પર જીવાણું ચોંટી જાય છે. હકિકતમાં ટૂથબ્રશ હોલ્ડર ઘરની ત્રીજી સૌથી વધુ ગંદી વસ્તું છે.

ટૂથબ્રશ રાખવાની સલાહ
- દરવખત બ્રશનો ઉપયોગ કર્યા બાદ નળના પાણી વડે સારી રીતે ધોઇ દો.
- ટૂથબ્રશને કોરું રાખો કારણ કે જીવાણુંઓને ભેજવાળું વાતાવરણ પસંદ હોય છે. બીજી વખત બ્રશ કરતાં પહેલાં ચેક કરી લો કે ટૂથબ્રશ સુકાઇ ગયું છે કે નહી.
- ટૂથબ્રશને સીધુ રાખો. ટૂથબ્રશને વાંકુ રાખવાના બદલે ટૂથબ્રશ હોલ્ડરમાં સીધુ રાખો.
- હંમેશા વ્યક્તિગત ટૂથબ્રશનો ઉપયોગ કરો. ભલે તમારી બહેન, ભાઇ, અથવા પત્ની જ ના હોય. ક્યારેય બીજાના ટૂથબ્રશનો ઉપયોગ ના કરો.
- પોતાના ટૂથબ્રશને બીજા લોકોના ટૂથબ્રશની સાથે એક જ કપમાં ના રાખો.
- જ્યારે ટૂથબ્રશ એકબીજા અડે છે તો કીટાણું ચોંટે છે.

ટૂથબ્રશને ક્યારે બદલશો
તમારે દર ત્રણ-ચાર મહિનામાં પોતાનું ટૂથબ્રશ ફેંકી દેવું જોઇએ. જો રેશા ફેલાઇ ગયા હોય અથવા તમે બિમાર પડ્યા હોય અથવા રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઇ હોય તો પણ ટૂથબ્રશ જલદી બદલી દેવું જોઇએ.

મોંઢાની સફાઇનું ધ્યાન રાખો
જીવાણુંઓથી પેઢાંના રોગો અને શ્વાસમાં દુર્ગંધ આવે છે. આ જીવાણુંઓને દૂર કરવા માટે યોગ્ય અંતરે બ્રશ કરવું જરૂરી છે અને કોગળા કરવાનું રાખો. બ્રશ કરતાં પહેલાં કોઇ પ્રતિજૈવિક માઉથવોશથી કોગળા કરવાથી જીવાણું તમારા ટૂથબ્રશમાં જશે નહી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
