અભ્યાસ મુજબ આ ઉંમરે વ્યક્તિ પાસે હોય છે સૌથી વધુ આત્મવિશ્વાસ
સાઈકોલોજીક બુલેટિનમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ એક વિશેષ ઉંમર હોય છે જેમાં કોન્ફિડન્સ લેવલ સૌથી વધુ રહે છે.
આત્મવિશ્વાસ માટે જીવનમાં ઉતાર ચડાવ આવ્યા કરે છે. ક્યારેક લાગે છે કે તમે દુનિયા જીતી શક છો તો ક્યારેક લાગે કે દુનિયામાં આવ્યા છે તો જીવવુ જ પડશે જેવો અહેસાસ થાય છે. કિશોરાવસ્થાથી લઈને 20ની શરૂઆતની ઉંમર સુધી યુવાનીની થોડી ઘણી ઝલક તો મળી જ જાય છે. આ ઉંમરે પોતાને પ્રેમ કરવો અને જે છે તેમ જ ખુશ રહેવાનુ શીખે છે.
ક્યારે હોય છે સૌથી વધુ વિશ્વાસ
સાઈકોલોજીક બુલેટિનમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ એક વિશેષ ઉંમર હોય છે જેમાં કોન્ફિડન્સ લેવલ સૌથી વધુ રહે છે. આ રિસર્ચમાં 191 અધ્યયન દ્વારા એ જાણવાની કોશિશ કરવામાં આવી કે કેવી રીતે આખી ઉંમર આત્મવિશ્વાસમાં ફેરફાર થાય છે. આવુ જ જોવા મળ્યુ કે આત્મ સમ્માનના સ્તરમાં પણ જેમાં પોતાની રીતે જ ઉતાર-ચડાવ આવ્યા કરે છે.
આ રિસર્ચની અમુક ખાસ વાતો
11થી 15 વર્ષની ઉંમરમાં આત્મ વિશ્વાસ વધવાનો બંધ થઈ જાય છે. યુવાનીમાં ઝડપથી આત્મવિશ્વાસ વધે છે. કિશોરાવસ્થામાં તે ઘણી ઉંચાઈ પર જઈ શકે છે પરંતુ ઓછો નથી થતો. તમને જાણીને નવાઈ લાગશે કે એક વ્યક્તિને પોતાના પર સૌથી વધુ વિશ્વાસ 60ની ઉંમરથી 70 સુધી રહે છે. જો કે અમુક લોકો 90ની ઉંમર સુધી પણ કોન્ફિડન્ટ અનુભવે છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર પોલિસે પ્રિયંકા ચોપડાને આપી 7 વર્ષની સજાની ધમકી? બનાવી રહી હતી મોટો પ્લાન!
શું છે આનો અર્થ
આ રિસર્ચનુ કહેવુ છે કે આપણા જીવનમાં હંમેશા સૌથી સારુ ભવિષ્ય છૂપાયેલુ હોય છે. ઘણા લોકોને લાગે છે કે 20 પ્લસમાં લોકોને સૌથી વધુ કોન્ફિડન્સ અનુભવાય છે. વળી, 60ની ઉંમર સુધી આવતા આવતા તમારા આત્મવિશ્વાસ એટલા માટે સૌથી વધુ રહે છે કારણકે તમને એ વાતની ચિંતા નથી રહેતી કે બીજા તમારા વિશે શું વિચારે છે.